________________
1224 , હૃદય નયન નિહાળે જગધણી 12246
આલંબનો ઓટોમેટિક છૂટતા જાય છે અને તેમ થતાં શુભાશુભ પરિણતિ પણ આપમેળે જ દૂર થઈ જતાં શુભાશુભભાવથી પર એવી શુદ્ધાવસ્થાને જીવ પામે છે.
स्वभाव सुखमग्नस्य जगत्तत्वावलोकिनः। ।
નૃત્વ નાચમાવાનાં, સાત્વિનશષ્યા - શાનસાર જેઓને પોતાના આત્માની, અન્ય દ્રવ્યથી ભિન્ન, એકાકી, શુદ્ધ પરમતત્ત્વસ્વરૂપ અવસ્થા ક્ષાયિકભાવે પ્રાપ્ત થયેલી છે, તેવા આત્માઓ તો અન્યદ્રવ્યના ગુણ-પર્યાયના કેવળ જ્ઞાતા-દૃષ્ટા હોવાથી તેઓને અન્યદ્રવ્યના કોઈપણ પરિણમનભાવનું કર્તુત્વ કે ભોકતૃત્વ હોતું નથી.
ત્યાગ-તપ-સંયમની નિષેધાત્મક સાધના અને શાન-ધ્યાનની વિધેયાત્મક સાધના દ્વારા ભીતરમાં સુષુપ્ત રીતે રહેલા અનંત જ્ઞાનદર્શનમય આત્માને પર્યાયમાં પ્રગટ કરવાનો છે. એ જ્યારે જાગે છે ત્યારે પર પરિણતિને પર્યાયમાંથી ઉચાળા ભરવા પડે છે. અનાદિકાળથી અહો જમાવીને રહેલી પુગલ પરિણતિ, સ્વરૂપ સત્તાના જાગરણ સામે ટકી શકતી નથી. પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરવા બહારના સાધનો કામ આવતા નથી. તે માટે તો ઉપયોગની કેળવણી એ જ એક અનન્ય સાધન છે. કેળવાયેલો ઉપયોગ જ સ્વરૂપમાં રહેવા સમર્થ બને છે. તેનાથી જ સંસાર પરિભ્રમણનો અંત આવે છે.
સાધના દ્વારા સાધ્યની પ્રાપ્તિ માટે આગળ વધતાં સાધકને વિદનોની વણઝારમાંથી પસાર થવું પડે છે. તે વખતે પ્રણિધાન-સંકલ્પ દઢ ન હોય તો સાધનામાંથી નીચે ઉતરતા વાર લાગતી નથી. આ વિષયમાં મહાન તત્ત્વ ચિંતક ખલિલ જીબ્રાન લખે છે કે, સગવડોની
દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિસ્તાર છે વ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ.