SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથજી 969 મળશે? શું નરક, તિર્યંચ જેવી માઠી ગતિઓ કે એકેન્દ્રિયાદિ જેવા હલકા સ્થાનોમાં આપને બેસવું ફાવશે ? આપ ત્યાં પ્રસન્નતા પૂર્વક રહી શકશો ? તેવા સ્થાનોમાં રહેવાથી આપની શોભા વધશે ? ચોદરાજલોકમય સભામાં બેસતા બીજા જીવો આપને કઈ નજરે જોશે? શું આપ તેઓની નજરમાં કર્મસત્તાના અપરાધી, ગુન્હેગાર અને કેદી તરીકે દેખાવ તેમાં તમારી અને મારી શોભા ખરી ? આંતરભાવને પામેલી ચેતના, પોતાના સ્વામી ચૈતન્યપ્રભુને વિનવી રહી છે કે હે નાથૅ ! આપ આપનું સ્વરૂપ ભૂલી જાવ છો માટે તેનો દંડ ભોગવવો પડે છે. સ્વસમયમાં સ્થિર થવું એ ચૌદરાજલોકમય સભાના અગ્રસ્થાને બિરાજવા જેવું છે જ્યારે પર-સમયમાં રાચવું એ નરકતિર્યંચમય ગતિમાં રખડવા જેવું છે. જ્ઞાનસ્વરૂપી આપ છો ! આપ જ્યારે સ્વ-પરનું ભેદજ્ઞાન કરીને પરથી વિભક્ત થઈ સ્વની સાથે એકત્વરૂપે પરિણમો છો ત્યારે આપ પોતે જ સ્વસમય છો અને જ્યારે આપ આપના જ્ઞાન સ્વરૂપને ભૂલીને, પરને જાણતા પર-પદાર્થ સાથે કે તેના યોગે નિપજંતા રાગાદિ સાથે એકત્વરૂપે પરિણમો છો ત્યારે આપ પોતે જ તે વખતે પર-સમય છો! પર-સમયમાં વિખવાદ છે, કલેશ છે, અશુદ્ધતા છે, દુઃખ, દુઃખ ને દુ:ખ છે. માટે હે નાથ ! તમે જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કરીને રાગ વગરના શુદ્ધ, સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં આપના આત્માને દઢપણે પરિણમાવો ! અનંતાનંત તીર્થંકરો આ જ ઉપાયથી મોક્ષ પામ્યા છે અને તમારે માટે પણ આ જ મોક્ષનો ઉપાય છે. મોક્ષમાર્ગ શુદ્ધ દ્રવ્યમાં જ સમાય છે, રાગનો કોઈ અંશ તેમાં ભળતો નથી. સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આંશિક શુદ્ધભાવે પરિણમેલો આત્મા પોતે જ મોક્ષનું કારણ છે અને પૂર્ણ-દશામાં તે પોતે જ મોક્ષરૂપ છે. આવા જે વર્તમાનકાળ ભૂત-ભાવિ સાપેક્ષ છે તે અનિત્ય છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy