SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ . - 1247 ભિન્ન-ભિન્ન તેમજ ઉભય પર્યાયનું યથાર્થ (કેવળી ભાષિત અર્થથી અવિરૂદ્ધ) જ્ઞાન જ નથી, તે આત્મા સંયમને કેવી રીતે જાણે? વળી કોઈ પણ આત્માને આત્મ-સંયમ વગર ભાવ સંવરરૂપ ચારિત્ર સંભવતું નથી અને ચારિત્ર ગુણ વિના કર્મથી મુક્તિ હોઈ શકે નહિ અને સર્વકર્મક્ષય વગર મોક્ષ પ્રાપ્તિ થતી નથી. આ માટે જ્ઞાજ્યિાખ્યાં મોક્ષ: એ શાસ્ત્રવચનથી આત્મકારકતામાં, ત્રીજી-ચોથી અને પાંચમી વિભક્તિના અવિરૂદ્ધ અર્થમાં આત્માને જોડવો જોઈએ. ( ૩) ત્રીજી વિભક્તિના અર્થમાં જ્ઞાન અને ક્રિયા ઉભય વડે મોક્ષ સધાય છે ત્યાં ઉપાદાન કારણરૂપ શુદ્ધ આત્મા, ઉપયોગરૂપ ક્રિયા વડે એમ ધારવું. , . ૪) ચોથી વિભક્તિના અર્થમાં જ્ઞાન અને ક્રિયાને પરસ્પર સંપ્રદાનતા વડે સહકારી બનાવવાથી મોક્ષ સધાય છે. એટલે આત્મગુણોને પરસ્પર સહકારી ભાવે યોજવાથી એમ સમજવું. . ૫) પાંચમી વિભક્તિના અપાદાનતાના અર્થમાં, કર્મપરિણામરૂપ સમસ્ત-પર પર્યાયમાંથી, આત્મભાવપણાની દૃષ્ટિ તેમજ પર પરિણામના કર્તુત્વ ભાવને કાઢી નાંખવાથી મોક્ષ સધાય છે. - આ ત્રણે અર્થોને શાસ્ત્રથી અવિરૂદ્ધ આત્મસ્વરૂપમાં કરણકારક, સંપ્રદાનકારક, તેમજ અપાદાનકારક ભાવે યોજવા જોઈએ. જોવાની ખૂબી એ છે કે સંસ્કૃત વ્યાકરણ અનુસાર ત્રીજી, ચોથી અને પાંચમી ત્રણ વિભક્તિનો દ્વિવચનનો પ્રત્યય ચામું છે. તેથી અર્થઘટન જે સહજ, સતત અને સરળ છે તે સત્ છે, નિત્ય છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy