SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમિનાથજી 885 જૈનદર્શન પાસે સર્વજ્ઞ પરમાત્મા દ્વારા આપેલ છ દ્રવ્યો, પંચાસ્તિકાય, નવ તત્ત્વ, ૧૪ રાજલોક, ૧૪ ગુણસ્થાનક, ૧૮ પાપસ્થાનક, નય-પ્રમાણ-નિક્ષેપ, સપ્તભંગી, સ્યાદ્વાદ, અનેકાન્ત વગેરેનું જ્ઞાન હોવાથી નયવિવક્ષા દ્વારા એ વ્યક્તિ અને સમષ્ટિનું યથાર્થ વિશ્લેષણ કરવા માટે સક્ષમ છે. ગમે તેવા નહિ ઉકેલાયેલા પ્રશ્નો-સમસ્યાઓકોયડાઓ પણ સ્યાદ્વાદષ્ટિ અને નયવિવક્ષાથી ઉકેલી શકાય છે. દુનિયામાં સમસ્યા હોય અને તેનુ સમાધાન ન હોય, એવું બને નહિ. રોગ હોય અને ઔષધ ન હોય, એવું બને નહિ માત્ર તેનું જ્ઞાન-આવડત આપણને ન હોય અને તેને કારણે મૂંઝવણ રહે એવું બને. આ દર્શન જિનેશ્વર પરમાત્માએ આપેલું હોવાથી તે જૈનદર્શન કહેવાય છે. બાકી વાસ્તવિકતાએ તો તે સંપૂર્ણ આત્મવિજ્ઞાન-સ્વરૂપ વિજ્ઞાન જ છે; જેને કોઇ ધર્મ, જાતિ, પંથ, સંપ્રદાય કે દેશ સાથે લાગતું વળગતું નથી અને તેથી જ તે ‘વીતરાગ વિજ્ઞાન’ છે. એ ‘વીતરાગ વિજ્ઞાન' છે એની સાબિતિ એ છે કે એ દર્શનને કોઈ વ્યક્તિવિશેષના દર્શન તરીકે ઓળખાવાયેલ નથી. એ દર્શને સિદ્ધ થવાની પ્રક્રિયામાં ‘અન્યલિંગે સિદ્ધ’નો પણ એક ભેદ મૂકીને જણાવ્યું છે કે અન્યદર્શનના વિકલ્પથી-સાધનાથી પણ વીતરાગ-સર્વજ્ઞ બની સિદ્ધપદ પ્રાપ્ત કરી શકાય છે અને તે માટે કપિલ કેવલી અને વલ્કરચીરીના દૃષ્ટાંતો પણ આપ્યા છે. એટલું જ નહિ પરંતુ પોતાના ધર્મપ્રણેતા તીર્થંકર દેવોને પણ એમના પૂર્વભવમાં નરકગામી બતાવવા દ્વારા વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે. વળી વિધિ-નિષેધ પૂર્વકનો કષ-છેદ-તાપની કસોટીમાં ઉત્તીર્ણ થાય એવો નક્કર મોક્ષમાર્ગ પણ બતાવ્યો છે. પ્રતિક્રમણ, પચ્ચખાણ અને આલોચનની શુદ્ધિની પ્રક્રિયા એ જૈનદર્શનની આગવી દેણ છે. દેહાધ્યાસ એ દ્રવ્યાધ્યાસ છે. દિશા એ ક્ષેત્રાધ્યાસ છે. સમય એ કાળાધ્યાસ છે. આ ત્રણે અધ્યાસ છે, તે સંસારી જીવના મોહભાવો છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy