________________ યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. જે માણસ માનતો હોય તે માણસ એમ પણ જે સાથે માનતિ હોય કે સ્વાર્થ અને પરાર્થના વિરોધ સમયે પણ, તેનું પિતાનું નહિ પણ પારકાનું સુખ શોધવાનું તેના ઉપર નૈતિક બંધન છે, તે પછી તે માણસ આ અનુભવજન્ય સિદ્ધાંતને અનુયાયી રહેતું નથી. મારા સુખની સાથે બીજાનું સુખ જે વધતું હોય તે તેમાં મને અડચણ નથી. પણ મારા સુખના ભોગે બીજાનું સુખ મારે શા માટે શેધવું ? અને છતાં તે શોધવુંજ એમ જે હું માનતે હૈઉં, તે પછી આંતરવાદીઓની પેઠે નૈતિક બંધનનું ભાન સ્વભાવસિદ્ધ છે એમ પણ હું માનું છું એ વાત નો. ઉપલા અનુભવવાદીઓની પણ કાંઈક આવીજ દશા થાય છે. હીસન કહે છે કે સર્વ સદ્દગુણે શુભેચ્છા કિંવા પરોપકારમાં અંતર્ગત છે; છતાં એ પોપકાર વૃત્તિની સર્વોત્તમતા અને નૈતિક બંધન નૈતિક ઇંદિયથી આપણને પ્રત્યક્ષ થાય છે. હયુમ કહે છે કે કાર્યની ઉપયોગિતાથી સદ્દગુણનું પારખું થાય છે, અને તેટલે અંશે બેશક હયુમ જનહિતવાદી છે. પરંતુ તે એમ પણ કહે છે કે આપણું સદ્દવર્તન પરેપકારી હોય છે, અને સદ્દગુણ કે દુર્ગુણનું ચિંતન જ્યારે આપણને થાય છે ત્યારે એક ખાસ પ્રકારની લાગણી કે રસવૃત્તિ આપણામાં ઉભી થાય છે, અને તેની સાથે સંમતિ કે અસંમતિની સ્વાભાવિક મનોવૃત્તિ ઉપર આપણા વર્તનને આધાર હોય છે અને આ મનોવૃત્તિ યુક્તિથી સાધ્ય નથી, પણ સ્વભાવ—સિદ્ધ છે. કાર્યોનું અને મનભાવનું તેલન તેમના પરિણામથી કરવાનું છે; અને જેને લીધે મનુષ્ય જાતનું સુખ વધે તે સારું અને જેથી તે ઓછું થાય તે નઠારું–એટલું કહેવાથી જનહિતવાદનું વર્ણન સવશે થઈ જાય છે એમ ધારવું ભૂલભરેલું છે. કારણ કે તેથી તે નીતિપરત્વે એકજ પ્રનને ઉત્તર આપણને મળે છે. પરંતુ દરેક નીતિવેત્તાએ બે પ્ર”નના ઉત્તર આપવાના છે. કર્તવ્ય એટલે શું ? અને તે શા માટે આપણું કર્તવ્ય થાય છે? ફલાણું ફલાણું વર્તન આપણે કરવું જોઈએ એમ કઈ નીતિવેત્તા આ પણને કહે તે ઠીક છે, પણ તે કરવાનું બંધન આપણને કેવા પ્રકારનું છે? . આંતરવાદીઓ કહે છે કે ખરું ખોટું જાણવાનું સામર્થ્ય આપણને