________________ - કોન્સ્ટનટાઈનથી શાર્લમેન રીઅર નામના આત્મહત્યારાના શબને પારીસની શેરીઓમાં ઉધે માથે ઘસડવામાં આવ્યું હતું, પછી તેને ઉધે માથે ફાંસીએ લટકાવવામાં આવ્યું હતું અને પછી તેને ગટરમાં ફેંકી દેવામાં આવ્યું હતું. આવા કાયદાને અંત કૅચ ઉત્ક્રાંતિના વખતે આવ્યા, અને ત્યારે બધા પ્રકારની સ્વતંત્રતાની સાથે મોતની સ્વતંત્રતા પણ લોકોને મળી. અને પછી તુરત જ આત્મહત્યાની સંખ્યા વધી પડી. કેમ જાણે કે મૂર્તિપૂજકને કાળ પાછો આવ્યો હેય તેમ ખ્રિસ્તિ ધર્મની અસર થોડેક વખત તે અસ્ત થઈ ગઈ. પરંતુ ઉત્ક્રાંતિને પવન જતાં આત્મહત્યાનો પવન પણ ઓછો થયો અને જૂના વિચાર પાછા પગભર થયા. પરંતુ આત્મહત્યા વિરુદ્ધ ઘણાખરા કાયદા રદ થઈ ગયા હતા તે રદ થએલા જ રહ્યા. તથાપિ જાણી બુજીને જે આપઘાત કરે તેની મિલ્કત રાજ્યમાં જપ્ત થાય એ ક્રૂર ધારે હજી ઈંગ્લાંડના કાયદામાં હયાત હતા, જો કે તેને અમલ થતો નહિ. સને 1870 માં એ કાયદાનો અંત આવ્યો. . ખ્રિસ્તિ ગુરૂઓની કેટલીક દલીલ છે કે અત્યારે સ્વીકારવામાં આવતી નથી, તે પણ આ બાબતમાં એકંદરે તેમને અભિપ્રાય માન્ય છે. એક નાનકડા સુંદર ગ્રંથમાં મેડમ સ્ટાએલે આ બાબતમાં શાંત, નિષ્પક્ષ અને વિચારશીલ ભક્તિભાવથી નિર્ણય કર્યો છે. તે કહે છે કે આત્મહત્યા એટલે ખૂન જ, અથવા હમેશાં કે ઘણું કરીને તે ભીરતાનું પરિણામ છે એ પ્રાચીન ધાર્મિક દલીલ સ્વીકારવાની અગત્યતા નથી. વળી આત્મહત્યારે પરલોકમાં અતિ દુઃખી થાય એવી ધાર્મિક ધાસ્તીથી પણ માણસને ગભરાવવાની જરૂર નથી. પરંતુ જે માણસની જીંદગી સુંદર રીતે સદાચારી અને પવિત્ર હોય છે તેને આત્મહત્યા કરવાની ઇચ્છા કદિ ઉદ્દભવતી જ નથી, અને કદિ ઉદ્દભવે તો પણ તેને કાબુમાં રાખવા એ સમર્થ હોય છે. દુઃખને લીધે માણસમાં કમળતા, વિશુદ્ધિ અને ચારિત્ર્યમાં ગાંભીર્ય આવે છે; અને ઈશ્વરની ઈચ્છાને તાબે રહી વર્તવું એ આપણું ઉંચા પ્રકારનું કર્તવ્ય છે: એટલું જ નહિ પરંતુ એવી ટેવથી અત્યંત પવિત્ર પ્રકારના દીલાસો આપણને મળે છે અને આપણા ચારિત્ર્યને ઉચ્ચ કરવા માટે એવી સ્થિતિ