________________ 304 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. તે બાબત સામાન્ય લોકેની સમજણ ઘણું કરીને બહુ ભૂલભરેલી હોય છે. ધર્મોની હયાતિ વિના જે ગુપ્ત ઉત્સાહ કદી પણ બહાર કદાચ આવી શકત નહિ તે ઉત્સાહને બહાર આણવાની ખરેખરી શક્તિ ધર્મોમાં રહેલી છે એ વાત ખરી; પણ તેમની અસર એકંદરે નવું ઉપજાવવા કરતાં આકર્ષક કિંવા હક ઘણું કરીને વધારે હોય છે. નૈતિક ઉત્સાહના પ્રવાહને વહેવા માટે ધર્મ નીક બાંધી આપે છે, તે ઉત્સાહને બુઝવાનો ડે આપે છે અને તેને દૃષ્ટિબિંદુ પુરું પાડે છે. પ્રાથમિક અને નૈતિક ઉત્સાહ સ્વદેશાભિમાનની નીકમાં વહેતે હ; અને દરેક રમવાસી પિતાની નૈતિક ઉચ્ચતાના પ્રમાણમાં ઉત્સાહપૂર્વક પિતાના દેશના ભલામાં અને કાર્યમાં ભાગ લેતો હતો. ખ્રિસ્તિ તપિત્તિએ નીતિના ઉત્સાહને આ પ્રવાહ અન્ય દિશામાં ફેરવી નાખો અને તેના પરિણામે નાગરિક સદાચાર અવશ્ય કરીને અસ્ત પામ્યા. પાર્વજનિક કામમાં ઉત્સાહપૂર્વક ભાગ કઈ લેતું નહિ અને નીચ દ્રોહ અને ભ્રષ્ટતા રાજ્યના દરેક ખાતામાં પિડાં; લશ્કર બાયલું બની ગયું. અને લેકેના આચરણમાં તિરસ્કરણીય લઘુતા આવી, દુશ્મને પિતાનું શેહેર લટીને કે બાળીને ચાલ્યા જાય કે તુરત જ નગરવાસીઓ રમત ગમતમાં પ્રવૃત્ત થતા હતા. એક તરફથી સખત તપશ્ચર્યા થતી હતી અને ધર્મને ઉપદેશ અપાતે હતા, તે બીજી તરફથી દેશની આવી સ્થિતિ થતી અને લેકે તેના બેદરકાર રહેતા હતા. જે ઉત્સાહ અને શૈર્ય સ્વદેશના સંરક્ષણમાં વપરાવા જોઈએ, તે માણસ જન્મથી જ પાપી છે કે કેમ ? એવા ધર્મના પ્રશ્નોમાં ખરચાવા લાગ્યાં અને તે પણ વળી એવે સમયે કે જે વખતે એરિક પિતાના લશ્કરથી રેમને વીંટી રહ્યો હતે; જે રામવાસીઓ એક વખતે અજીત ગણાતા હતા તે પિતાના દેશ અને ઘરબાર છોડી અરણ્યમાં જવા લાગ્યા અને ત્યાં ભયંકર પણ નિરર્થક કષ્ટ દેહને દેવા લાગ્યા. જ્યારે ગોથ લેકએ રેમને સર કરી લૂટયું હતું, ત્યારે બ્રિતિ દેવળ લૂટના ભયંકર ત્રાસમાંથી મુક્ત રહ્યું હતું અને તેથી નવીન પ્રકારની પવિત્રતા અને પૂજય બુદ્ધિનું ભાન લેકેને થવા લાગ્યું હતું તેની સાબીતિમાં ખ્રિસ્તિ દેવળ બતાવી સંત ઑગસ્ટાઇન વાજબી મગરૂબી લેતા હતા. તે