________________ કેન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 359 વિકટ અને વેદનાકારક થઈ પડતું હશે તેને અત્યારે ખ્યાલ આવે પણ આપણને કઠિન છે. અગીઆરમા, બારમા અને તેરમા સૈકામાં કુબેર નામના ફ્રેંચ લેકે કિંવા કવિઓએ આ નરક દર્શનેનું ઉપહાસ કરી જન-સેવા સારી હતી. તથાપિ વિધર્મીઓના સાહિત્ય અને મુસલમાની ધર્મના આવા ઉછરી આવેલા સ્વતંત્ર વિચારની સહાય વિના કેથલિક ધર્મ ગ્રસ્ત કરેલા યુરોપની બુદ્ધિનાં આ બંધન તૂટત કે નહિ એ શંકા પડતી વાત છે. શેખ, આબાદી, સાહિત્યનું પુનરૂજજીવન, સેડ નામની લડાઈઓ પછી ધર્મ ગુરૂઓ વર્ગની પડતી, અને ધર્મ-સુધારણાથી કેથોલિક સંપ્રદાયની અસ્તવ્ય સ્તતા, ઈત્યાદિ કારણોને લીધે નરક-દર્શનની માન્યતા ધીમે ધીમે નિર્બળ થઈ નષ્ટ થઈ ગઈ. પરંતુ એક બીજા સિદ્ધાંતથી પાદરી વર્ગનો પૈસો વધવા પામ્યો હતો, અને તેમાં પરલોકમાં પાપ-નિવારક સ્થળની જના હતી. કેટલાંક માણસે સ્વર્ગમાં જાય એવાં સદાચારી નથી હોતાં, અને નરકનું નિરંતર દુઃખ ભોગવે એવાં દુરાચારી પણ તે નથી હોતાં તેમને માટે પરલોકમાં એવું એક સ્થળ હોય છે કે જ્યાં તેમના પાપનું નિવારણ થતાં તેઓ શુદ્ધ થાય છે; આ સિદ્ધાંત હાલમાં પણ કેટલાક માને છે. કેથોલિક મતમાં આ પાપનિવારક સ્થળની યોજના હતી. પણ તે ખ્રિસ્તિઓને માટે જ હતી. અન્ય ધર્મઓ તે બધા નરકમાં જ જવાના હતા. પરંતુ આ પાપ-નિવારક સ્થળની યોજનાથી ખ્રિસ્તિઓને પણ કોઈ જાતને દીલાસો મળવાને સંભવ નહોતે, કારણ કે ધર્મગુરૂઓ કહેતા કે ગમે તેવા પાપને માટે પણ નરકમાંથી કોઈને મુકત કરાવવા તેઓ સમર્થ હતા. માત્ર બક્ષીસ જોઈએ. પૈસો ત્યાં પ્રભુ. વળી આ પાપ-નિવારક સ્થળમાં પડતા દુઃખનું એવું તે ચિત્ર તેઓ આપતા હતા કે તે દુઃખ કલ્પનાને નરકના દુઃખ કરતાં પણ વિશેષ લાગતું હતું. આ સ્થળનાં પણ પ્રત્યક્ષ દર્શનની વાતો સાધુઓ કહેતા હતા અને તેની કલ્પનાને ત્રાસ ઉપજાવતા હતા. બીજું બેસવું હોય તે બેલે, પણ આટલું તે તમારે