________________ . કેસ્ટનટાઈનથી શાર્લમેન-સુધી. ડાઉ૫ ગણાય છે. ખાસ કરીને કોમળ અને મિલનસાર ગુણેમાં ચડી જવાની પુરૂષો કરતાં સ્ત્રીઓમાં યોગ્યતા વધારે હોય છે, પણ જંગલી દશામાં સ્ત્રીઓના આ ગુણોને બહાર પડવાને અવકાશ જ હેતું નથી. વળી એવે સમયે સૈદયની સત્તા ઘણુ મંદ અને નિર્બળ હોય છે, અને તેમ ન હોય તેપણુ જંગલી જીંદગીની રખડપટ્ટી અને સસ્તાદને લીધે સ્ત્રીઓમાં સુંદરતા પણ થોડી જ રહે છે. તેથી કરીને એવા જંગલી સમયમાં સ્ત્રીઓને ગુલામ તરીકે જ ગણવામાં આવે છે અને તેમનું કર્તવ્ય પુરૂષના પશુ-વિકારને સતેવામાં જ સમાઈ જાય છે. આવી દશામાં, મુંગે મેં–કાંઈ પણ સામો પ્રત્યુત્તર વાળ્યા સિવાય, કોમળતા કે પ્રેમના કોઈ પણ શબ્દો સામા ન મળે તે પણ પુરૂષની નિરંતર સેવા ઉઠાવવાની ફરજ જ સ્ત્રીઓને ભાગે રહે છે, અને પશુ વૃત્તિ સંતુષ્ટ થયા પછી વૃત્તિઓમાં જે એકાએક ફેરફાર જંગલીઓમાં થઈ આવે છે તે ફેરફાર સહન કરી લેવાનું જોખમ વારંવાર તેમને રહે છે. તેથી કરીને જંગલી દશામાં સ્ત્રીઓની દશા અધમ હોય છે. તથાપિ કાળ જતાં સ્ત્રીઓની જે નીતિભાવનાઓ વિકસિત થવાને સર્જિત થઈ હોય છે તેનાં કેટલાંક બીજેની ઝાંખી આ પ્રાથમિક દશામાં પણ આપણને થાય છે. લગ્ન સંસ્થાનું અસ્તિત્વ હોય છે. સામાન્ય રીતે પાતિવયની કિંમત કાંઈક અંશે અંકાય છે, અને જે વ્યભિચાર કરે તેની સામે ગુસ્સે પ્રદર્શિત થાય છે. જો કે પુરૂષને માથે માત્ર વ્યભિચારની મનાઈને જ અંકુશ હોય છે, પણ સ્ત્રીઓમાં ઇદ્રિયનિગ્રહ ઘણે જોઈએ એવી સામાન્ય માન્યતા હોય છે. બે વાતથી સ્ત્રીઓની દશા ઘણું કરીને ઉચ્ચ સ્થિતિએ પહોંચી છે. સ્ત્રીઓની ખરીદી કરીને તેમને પત્ની બનાવવાના રિવાજનો ત્યાગ અને એક સ્ત્રી કરવાના ધોરણ ઉપર કુટુંબની રચના. સુધારાની અત્યંત પ્રાથમિક દશામાં કન્યાના બાપને પૈસા આપી પુરૂષ પોતાની સ્ત્રી મેળવત, અને તેથી સ્ત્રી પોતાના પતિની ખરીદાએલી ગુલામ થઈ રહેતી, કન્યા વિક્રયના આ રિવાજને પ્રથમથી જ આર્ય શાસ્ત્રોએ નિંદ્ય ગણ્યો છે; તથાપિ