________________ સ્ત્રીઓની પદવી. 429 વિધમી મહારાજ્યના કાયદાનું બંધારણ અને ખ્રિસ્તિ ધર્મ ઉપજાવેલાં પરિવર્તને આપણે બરાબર સમજવાં હોય તે ઉપર કહેલા વિચારો લક્ષમાં રાખવાની જરૂર છે. જેમના મહારાજ્યના કાયદા બાંધનારાઓ આવા સંબંધો સ્પષ્ટ સ્વીકાર કરતા અને તેમનું નિયમન કરી તેમાં ખાસ ભે મૂક્વાને મુખ્ય ઉદેશ રાખતા. લ ચ્છેદની બેહદ ટને લીધે એવા સંબંધોને લગ્નની સંજ્ઞા પ્રાપ્ત થતી, અને આ સંજ્ઞાને લીધે તેઓ કઈ પણ પ્રકારે કલંકિત ગણાતાં ન હોવાથી, લેકએ માન્ય નહિ કરેલા સંબંધમાંથી જે ગંભીર માઠા પરિણામ આવે તે એથી અટકતાં. વળી રખાત શબ્દમાં પણ ચોક્કસ કાયદા પુર:સર સંબંધને અર્થ સમજાતો, અને આ નવીન યોજનાને મુદો કુંવારાપણું અટકાવવાને બેશક હતા, અને સ્વછંદી વર્તણુક તે વખતે બહુ સામાન્ય થઈ પડી હતી તેને સુધારવાને પણ કદાચ હોય. ખરું જોતાં આ રખાતનો સંબંધ એક પ્રકારનું લગ્ન જ ગણાતું હતું, કારણ કે જેને રખાત હોય તે પરણે અગર બીજી રખાત રાખે તે કાયદામાં તે વ્યભિચારને ગુને ગણતા હતા. લગ્નના અતિ સામાન્ય પ્રકારની પેઠે તે સંબંધ પણ કોઈ પણ જાતની ક્રિયા વિના શરૂ થતો, અને મરછમાં આવે ત્યારે તેને અંત અણાને. એ સંબંધની ખાસ વિલક્ષણતા એ હતી કે અમીર વર્ગ ગુલામગીરીમાંથી મુક્ત કરેલી સ્ત્રીઓ સાથે કાયદા પ્રમાણે પરણી શકતા નહિ તે તેમને રખાત તરીકે રાખતા. રખાતના દરજજાને જેકે સંપૂર્ણ સ્વીકાર થતો હતો અને આબરૂસર ગણતો હતો, તથાપિ પિતાનાં સાથીના દરજજાની તે ભાગીદાર થઈ શકતી નહિ; કશે દાયજો લાવતી નહિ; તેનાં કરાં રખાતને પિતાને દરજજો અને મોભો ભોગવતાં, અને પિતાની અમીરાઈ કે વારસામાંથી તેમને બાતલ કરવામાં આવતાં. આવા વિચારે તે સમયે પ્રચલિત હતા, અને તેમની સાથે ખ્રિસ્તિ ધર્મ પાધરી અને કદી દુશ્મનાઈ જાહેર કરી. આ વિરોધનું પ્રતિબિંબ રાજ્યના કાયદામાં બરાબર પડયું નહિ, પરંતુ ખ્રિસ્તિ વૃદ્ધોના લખાણમાં અને ધર્મ સભાના ઘણાખરા ઠરાવમાં બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. અફર, અચૂક