________________ 434 યૂરોપીય પ્રજાના આચરણનો ઈતિહાસ. તેમની પ્રબળ શ્રદ્ધા રહે અને વિરૂદ્ધ વિચારેના સમાગમમાં ન આવે એ મુખ્ય ઉદ્દેશ સામાન્ય રીતે રાખવામાં આવેલું હોય છે. પરંતુ સંકચિત જ્ઞાન અને અપૂર્ણ સહદયતા–એટલા જ દોષે આ કેળવણીના છે એમ નથી. એક અમુક પ્રકારના ધાર્મિક ઉપદેશનું ખાસ લક્ષણ હમેશાં એ માલમ પડેલું છે કે વિચારના સઘળા સિદ્ધાંતોને એ એક જ દિશામાં વાળે છે અને બુદ્ધિ વિષયક તટસ્થતાને તદ્દન નાશ કરે છે. બીજી બાબતોમાં પ્રમાણિક નિશ્ચયને માટે માન નહિ તે છેવટે ગંભીર અનેના સંવાદમાં પિતાને અભિપ્રાય દર્શાવવા માણસોને હકદાર કરવા પૂરતું જેટલું જ્ઞાન જોઈએ તેનું કાંઈક ભાન આપણને જણાય છે. સંવાદના વિષયમાં કેવળ અજ્ઞાનપણું નિશ્ચયપૂર્વક બોલતાં માણસને અટકાવે છે; અને અજ્ઞાન માણસ પોતે જે વિષયમાં અજ્ઞાન છે તે વિષયમાં બહુ વાંચીને અને વિચારીને પિતાના વધારે સુશિક્ષિત પાડોશીએ તે અજ્ઞાની પિતે જે વિચારો માને છે તેમનો ત્યાગ કર્યો છે અથવા તેમાં ફેરફાર કરી એ માને છે એ જોઈ તેની સ્થિતિ બહુ કંગાળ અને દયાજનક છે એમ બેલતાં જે તે અજ્ઞાન માણસ માત્ર સમજુ અને સભ્ય હશે તો અટકશે. પણ ધાર્મિક પ્રશ્નોમાં આવી વાત કદિ બની નથી. કેવળ અંધ શ્રદ્ધામાં જ પરમ કર્તવ્ય છે એવો ઉપદેશ કરીને અને સધળી શંકા ગુનાહિત અને શાપિત છે એમ કહીને, બીજી બાબતોથી તદ્દન ભિન્ન મનની અવસ્થા ધર્મ પિતાની બાબતમાં ઉપજાવે છે. એવાં ઘણું માણસ હોય છે કે જેમણે બાઇબલનું એક પાનું પણ વાંચ્યું નહિ હોય અને પિતાના ધર્મના સિદ્ધાંતોની અથવા જે દલીલોથી તેનું મન થાય તેમાંથી કોઈની ખબર તેમને નહિ હોય, છતા અત્યંત વિશ્વાસ પૂર્વક વિવાદના પ્રશ્નને સંબંધી છાતી ઠોકીને મત તેઓ આપે છે; અને પિતાના અભિપ્રાય સાથે જે મળતા ન આવે તેમને જૂઠા કહેશે, ધિકારશે, તેમના ઉપર દયાની નજરથી જોશે અને તેઓ પિતાના વિચાર ફેર માટે પરમેશ્વરની પ્રાર્થના કરશે; પિતાના અભિપ્રાય સત્ય જ હોવા જોઈએ એમ સ્વીકારી લેશે અને બીજાઓએ તેમાં જ કરી હશે તથાપિ તેમને ખોટા કહેશે અને કોઈ પણ જાતની તપાસમાં ઉતર્યા વિના બીજાના