Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 482
________________ સ્ત્રીઓની પદવી. 435 અભિપ્રાયને પાખંડી કહી જીદગી પર્યત તેમની સાથે વિરોધમાં રહેશે. કેઈ ગ્રંથને પાખંડી કહી કેળાહળ કરી મૂકનારામાંથી ઘણુંખરા તે એ ગ્રંથને 'ઉઘાડવામાં કે તેમાં કહેલા વિષયની ખોજ કરવામાં પણ ગુન ગણતા હોય એ સંભવિત છે. પાદરીઓનાં અનેક ભાષણ આ વાતની સાક્ષી પૂરે છે અને અમુક પ્રકારના વિચાર કે હૃદયના ભાવમાંથી જેનું વિમાર્ગગમન થાય તેમની અવસ્થાનું અતિ કરૂણમય ચિત્ર આપીને સ્ત્રીઓની કલ્પનાને ઉશ્કેરી મૂકે છે. આથી કરીને ધર્માંધતા અને ગુપ્ત ખીજવાટ અસંખ્ય કુટુંબોમાં પેસે છે; તેથી કરીને કુટુંબની શાંતિમાં ઝેર રેડાય છે, સ્ત્રી પુરૂષને અરસપરસને વિશ્વાસ મંદ પડી જાય છે, સત્યના શેધકની મુશ્કેલીઓ ઘણી જ વધી પડે છે, અને બુદ્ધિની ભરૂતા, ઢેગ અને ખોટ દેખાવ ચારે તરફ પ્રસરી રહે છે. તેથી જ્યારે રેમનું રાજ્ય બ્રિસ્તિ થવા માંડયું ત્યારે આ કૌટુંબિક વિખવાદ બહુ જાહેરમાં આવવા લાગે; અને પિતાના મતની અખંડતા સાચવવાની અને જે ખ્રિસ્તિ થાય તેમને ઉત્સાહ જાળવી રાખવાની સ્વાભાવિક ઈચ્છાથી દેરાઈ એવાં મિશ્ર લગ્ન ખ્રિસ્તિઓએ કરવાં જ નહિ એવો આગ્રહપૂર્વક ઉપદેશ ખ્રિસ્તિ વૃદ્ધોએ કરવા માંડયો. કુટુંબકલહ ઓછો થાય એ પણ ઉદેશ હ. ખ્રિસ્તિઓ ઈશુના અવયવો છે, તેથી અન્ય ધર્મની સાથે ખ્રિસ્તિએ લગ્ન કરવાં એ એક જાતને વ્યભિચાર છે એમ તેઓ કહેતા. રાજના કાયદામાં ખ્રિસ્તિઓને પાખંડી જોડે લગ્ન કરવાની મનાઈ નહોતી, પરંતુ એવાં લગ્નોને ઘણું ધર્મ-સભાઓ સખત શબ્દોમાં ગુનાહિત ગણું વખોડતી. આ પ્રમાણે લગ્ન સંબંધી વિચારોમાં ફેરફાર ખ્રિસ્તિધર્મ કરાવ્યો. કુંવારી જીદગીને અપાતી અત્યંત પવિત્રતા, લગ્ન સિવાય સ્ત્રી પુરૂષના કોઈ પણ જાતના વ્યવહારની સખત નિંદા, એક જ ધર્મનાં સ્ત્રી પુરૂષોનાં કાયમી લગ્ન થવાં જોઈએ એ વિચાર અને તેનું ઉત્કૃષ્ટ ભાન, અને તે લગ્ન પણ ગંભીર પ્રકારની ધાર્મિક ક્રિયાઓ સહીત થવાં જોઈએ અને મૃત્યુથી જ છૂટાછેડા થાય એવો આગ્રહ, આ બધાં નીતિની જે શાખાની આપણે વાત કરીએ છીએ તેમાં, ખ્રિસ્તિ ધર્મની અસરના ચિને હતાં,

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492