________________ સ્ત્રીઓની પદવી. 433 અંતઃકરણપૂર્વક એમ માનતું હોય કે પિતાને પતિ યા પિતાની પત્ની કાયમની દુર્દશા ભોગવવાને નિર્મિત થએલ છે, ત્યાં એક બીજા વચ્ચે ખરું સુખ, સહદયતા કે વિશ્વાસ ઉપજી શકે નહિ; અને અમુક ધર્મમાં કેળવાતાં છોકરું નરકનું નિરંતર વાસી થશે એવી જ્યાં દઢ માન્યતા હોય ત્યાં અમુક છોકરાંને એક ધર્મમાં કેળવવાં અને બીજાને બીજા ધર્મમાં કેળવવાં એવી કૌટુંબિક સમજણ અશક્ય થઈ પડે છે. ધર્મ-શ્રદ્ધાની ભિન્નતાને લઈને કુટુંબમાં ઉપજતે વિખવાદ, ખ્રિસ્તિ ધર્મના પ્રવેશ પૂર્વે દુનિયામાં ઘણું કરીને લગભગ કે તદન અજ્ઞાત હતો; કારણકે મત-ભિન્નત્વ તે કદાચ અગાઉ પણ હશે, પરંતુ એટલા બધાં અગત્યનાં પરિણામ તેને આરોપિત કરવામાં આવતાં નહિ. રેમનું રાજ્ય ખ્રિસ્તિ થયું ત્યારે, અથવા ધર્મસુધારણના સમયે, અથવા આપણું પિતાના જમાનામાં, જ્યારે જ્યારે નવીન ધર્મની કે પંથની સ્થાપના થતી હોય છે ત્યારે લોકોમાં ધર્મની લાગણી બહુ પ્રબળ હોય છે અને તેમાંથી મેટા અનર્થ ઉપજે છે. અને ધર્મની બાબતમાં કેળવાએલી ક્ષમાવૃત્તિની ખામીને લીધે જ્યાં એક જ ઘરમાં સ્ત્રી અને પુરૂષના ધર્મ જુદા જુદા હોય છે ત્યાં તે ઘરમાં અત્યંત દુર્દશા ઉપસ્થિત થયા વિના રહેતી નથી, કારણકે બન્ને વચ્ચે જે શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસ હોવાં જોઈએ તે રહેતાં નથી અને તેથી અનેક વિખવાદ બન્ને વચ્ચે ઉભા થાય છે. તેમાં પણ જ્યારે સ્ત્રીઓને અશિક્ષિત અને અજ્ઞાન રાખવામાં આવે છે ત્યારે આ વિખવાદની હદ રહેતી નથી. અનેક શાસ્ત્રીય શોધખોળને લીધે, સમીક્ષણયુક્ત અને ઐતિહાસિક પરિચનાને લીધે અને કેળવણીના સુધારાને લીધે, જ્યારે વિચારશીલ પુરૂષો અત્યંત અગત્યના ધાર્મિક પ્રશ્નોનું મંથન કરતા હોય છે, ત્યારે સ્ત્રીઓને એ સાધનોથી લગભગ કેવળ બહિર્મુખ રાખવામાં આવે છે. નિષ્પક્ષતા અને વિલંબને માટે પુરૂષો કરતાં સ્ત્રીઓનાં મન સામાન્ય રીતે કુદરતથી જ ઓછાં લાયક હોય છે; અને બુદ્ધિને કેળવી દઢ કરે એવી બાબતેના અભ્યાસને સ્ત્રી કેળવણીમાંથી કેવળ અલગ રાખતાં, આ મત ભિન્નત્વ બહુ વધી જાય છે, અને તેની સાથે પરંપરાથી ચાલ્યા આવતા વિચારમાં