________________ સ્ત્રીઓની પદવી. 431 પાદરીઓની આ સત્તા કૌટુંબિક જીવનમાં ઘણી ઓછી થઈ ગઈ છે એ. વાત એ ધર્મને એક જબરા ઘા રૂપ નીવડી છે. ' વળી બીજી બાબતની પેઠે આ બાબતમાં પણ રાજ-કાયદાથી જુદા પડીને ધર્મ સભાઓ દઢતાથી પોતાના વિચારને વળગી રહેતી કે લગ્ન છેદમાં પણ કેવળ પાપ છે. કોન્સ્ટનટાઈને કાયદો કર્યો હતો કે જે પતિ ત્રણ ગુના કરે અને પત્ની ત્રણ ગુના કરે છે તે વખતે લગ્ન છેદ વાજબી છે. પણ લોકોની પ્રકૃતિને એ અંકુશ રૂઓ નહિ, અને કાયદામાં એક બે ફેરફાર કર્યા પછી જસ્ટીનિયનના કાયદા સંગ્રહમાં લગ્નોછેદની કુલ પરવાનગી પાછી મળી. પણ જ્યાં સ્ત્રીના વ્યભિચારના પરિણામે ઉપસ્થિત થતા લગ્નોદને પ્રસંગ આવે ત્યાં ખ્રિસ્તિ વૃદ્ધો કાંઈક ઢચુપચુપણું બતાવતા, પણ બાકીના બીજા બધા પ્રસંગે તે તેઓ સ્પષ્ટ કહેતા કે લ ચ્છેદ ગુનાહિત છે, અને જે ખ્રિસ્તિઓ રાજ કાયદાની છૂટ લાભ લેતા તેમને માથે અમુક કાળ પ્રાયશ્ચિત કરવાનો બોજો તેઓ મૂકતા. ઘણું સૈકાઓ સુધી કાયદાની આ કિવિધતા ચાલુ રહી હતી. જે પિતાની સ્ત્રીને ત્યાગ કરે તેને સખત દંડ કરીને જંગલીઓના કાયદા લગ્નો છેદ ઉપર અંકુશ રાખતા હતા. શાલમેન લગ્નેચછેદને ગુનાહિત કહેતો, પણ તેને સજાપાત્ર ઠરાવવાની તેની હિંમત ચાલી નહતી, અને પોતે જ તે કરતો હતો. પણ ખ્રિસ્તિ ધર્મસંસ્થા તે તે ગુનો કરનારને બહિષ્કારને ભય બતાવતી, અને કેટલીક વખત તે તે ભય તે બરાબર અમલમાં પણ મૂકતી. અંતે બારમા સૈકામાં ખ્રિસ્તિ ધર્મને સંપૂર્ણ વિજય થશે અને ધાર્મિક કાનુનના સિદ્ધાંતને સ્વીકારી રાજ્યે પણ કાયદો કર્યો કે લગ્ન છેદ ગેર કાયદેસર છે; અને તેની મના કરી. - આ સંપૂર્ણ પ્રતિબંધથી માણસનું સુખ કે નૈતિક શ્રેય કેટલે અંશે વધ્યું છે તે બાબતની તપાસમાં ઉતરવાનું અન્ન આપણું પ્રયોજન નથી. અત્યારે તે એટલું જ કહેવું બસ છે કે અત્યારે જેમ આ પ્રતિબંધની તરફદારી જનહિતવાદની દૃષ્ટિથી ઘણીવાર થાય છે તેમ જ્યારે ખ્રિસ્તિ પ્રજાએમાં એ પ્રતિબંધ પ્રથમ મૂકાયો હતો ત્યારે નહોતું થતું, પણ ધર્મને નામે જ