________________ સ્ત્રીઓની પદવી. 443 સમયમાં સ્ત્રી પુરૂષોના સંબંધમાં ઘણી ગેરવ્યવસ્થા પણ વારંવાર જોવામાં આવેલી છે. એક અમુક પ્રકારના ખાસ ધાર્મિક ઉપદેશને લીધે, અને ઔદ્યોગિક સાહસ અને અર્થશાસ્ત્ર વિષયક વિચારમાં હાલમાં થએલા મેટા ફેરફારને લીધે સાંપ્રત સમયમાં આ સંબંધ બાબત વિચારો બદલાઈ ગયા છે એ વાતની ના કહેવાય એમ નથી. વસ્તીના ત્વરિત વધારાને રાજપુરૂષો અને નીતિવેતાઓ અને પ્રથમ સારી વાત ગણતા હતા. પણ હવે એ મત પ્રચલિત છે કે એ વધારાને અંકુશમાં રાખવા લગ્ન અને બાળકની સંખ્યા ઘટાડવામાં જ સમાજનો મોટામાં મોટો લાભ સમાએલે છે. આવી માન્યતાને લીધે અને સુખાભિલાષી સુધારાની સંગતીમાં રહેલી ઘણી કૃત્રિમ હાજતેને લીધે, ઘણી સ્ત્રીઓને કુંવારા રહેવું પડે છે અને જીદગીમાં પિતાને માર્ગ શોધી લેવો પડે છે અને તેમની શારીરિક નિર્બળતાને લીધે મુશ્કેલીઓ ઉભી થાય છે, તેમાં હાલના કાયદા અને રિવાજથી વધારો થાય છે. પસાને અને કેળવણીને લાભ તેમને જોઈએ તે મળતું નથી; ઘણું ધંધામાંથી તેમને બાતલ રાખવામાં આવે છે; બીજા કેટલાક ધંધા પરત્વે તેમનું ઉપહાસ કે નિંદા થાય છે, અને તેથી પરિણામ એ આવે છે કે ઘણી સ્ત્રીઓ બહુ કંગાલ અને ગરીબ અવસ્થામાં પિતાની જીંદગી ગાળે છે અને ઘણી ખરી સ્ત્રીઓ દુરાચારમાં પ્રવૃત્ત થાય છે. વળી યાંત્રિક સુધારે વધતાં સ્ત્રીઓ ઘરમાં બેસીને કામ કરતી તે પણ ગયું છે. વિલાયતી શાળો આવતાં રેંટીએ હવે ઘરમાં રહ્યો નથી. આ બધાનું પરિણામ અને નીતિમાં શું આવશે તેનું અનુમાન કરવાનું કામ નીતિવેત્તાનું છે, ઈતિહાસકારનું નથી. જમાને બદલાતાં સ્ત્રીઓની , પ્રવૃત્તિ અને કેળવણી બદલાશે ખરી; અને તેમની નીતિમાં પણ કદિ ફેરફાર થાય, પણ નીતિ સંબંધી કેટલાંક પ્રત્યક્ષ દર્શન જે આપણને થાય છે તે કદિ પણ દૂર થઈ શકશે નહિ. છે સમાપ્ત.