________________ 432 યુપીય પ્રજાની આચરણને ઈતિહાસ તેની તરફદારી થતી હતી. ધાર્મિક ક્રિયા યુક્ત લગ્ન એજ લગ્ન; ઈશુના પિતાની સંસ્થા સાથેના કાયમી મેળાપના ખાસ ચિહ્નરૂપ લગ્ન છે; એવી માન્યતાનું જ તે પરિણામ હતું. વ્યભિચારના પ્રસંગે પણ લગ્નની પવિત્ર ગ્રંથી તેડી નખાય નહિ એવું કેથલીક મતનું સખત બંધન અર્વાચીન ધારાશાસ્ત્રમાં ઘણું શિથિલ થઈ ગયું છે અને આ દિશામાં હજી પણ આગલાં પગલાં ભરાશે એ પણ નિસંશય છે. તથાપિ આ બાબતમાં વિધમી મહારાજ્યની બેહદ છૂટ પછી સિદ્ધાંત અને વ્યવહારમાં જે મોટો ફેરફાર થયો છે તે હવે સર્વને સ્પષ્ટ થયો હવે જોઈએ. જે લગ્ન આવાં ગંભીર અને અફર હોય તે લગ્ન એક બીજાની રાજીખુશીથી અને સ્વતંત્રતાથી થવાં જોઈએ એ વાત આવશ્યક નહિ તો છેવટે અતિ અગત્યની તો થઈ પડી. પ્રજાતત્રના અસ્ત સમયમાં રેમના સ્વદેશાભિમાની પુરૂષોને અભિપ્રાય એવો હતો કે રાજ્યને છોકરાં પૂરાં પાડવાના સાધન તરીકે લગ્નની ગણના થવી જોઈએ અને એવા ઈરાદાથી ફરજ તરીકે લગ્ન થવાં જોઈએ. અને ઓગસ્ટસના કાયદામાં જે લગ્ન ન કરે તેમને ઘણું લાભમાંથી બાતલ કર્યા હતા. લગ્ન કરવાની આ બને લાલચે ખ્રિસ્તિ ધર્મની અસરમાં તણાઈ ગઈ. પ્રજાકીય સદાચારના અસ્તની સાથે લેકઅભિપ્રાય અદ્રશ્ય થઈ ગયે. તપોવૃત્તિના ઉત્સાહ કાળમાં કુંવારી જીંદગી પવિત્રતાનું શિખર ગણવા લાગી, અને તેની અસરને લીધે ઉપલા કાયદાઓ રદ થઈ ગયા. લગ્નના પિતાના સત્કૃષ્ટ નમુનાને સાક્ષાત્કાર કરાવવા માટે હજી એક બીજી અગત્યની વાત પણ ખ્રિસ્તિ ધર્મગુરૂઓએ હાથમાં લેવાની હતી. આ વાત, પિતાના ધર્મથી જેમના વિચાર જુદા પડતા હોય તેમની સાથે ખ્રિસ્તિ-સંસ્થાના અંગભૂતોને લગ્ન કરતાં અટકાવવાની હતી. ધર્મપંથને માંહમહેને વિખવાદ અને અંટસ બીજા કોઈપણ સાધન કરતાં મિત્ર-લથી ઘણે વધારે ઓછો થઈ જાય છે એ વાત ખરી, પરંતુ એટલું પણ અત્ર લક્ષમાં રાખવાનું છે કે એ વાત બને તે પહેલાં ધર્મની બાબતમાં ક્ષમા-વૃત્તિ બહુ કેળવાઈ ગએલી હોવી જોઈએ. જ્યાં દંપતિમાંથી દરેક જણ