________________ 436 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. વળી આ નવીન ધર્મનું એક બીજું પરિણામ એ આવ્યું કે જે ગુણમાં નગીઓ ખાસ કરીને ભભકી નીકળે છે તે ગુણે બહુ માનનીય ગણાવા લાગ્યા. સ્ત્રીપુરૂષના ખાસ લાક્ષણિક ભેદ કેવા કેવા છે, અને આ ભેદને લીધે જુદા જૂદા જમાના, જૂદી જૂદી પ્રજા, જુદાં જુદાં તત્વજ્ઞાન અને જૂદા જૂદા ધર્મોના સર્વોત્કૃષ્ટ નમુના ઉપર શી શી અસર થઈ છે તે બાબતની તપાસમાં ઉતરવા જેવું છે. શારીરિક સંપત્તિમાં, પુરૂષો બેશક બળમાં વધારે હોય છે, અને સ્ત્રીઓમાં સૌંદર્ય વધારે હોય છે. પરંતુ શાસ્ત્ર, સાહિત્ય અને કળામાં બધું અગ્રસ્થાન લગભગ પુરૂષોએ જ ભગવ્યું છે અને કોઈ પણ પ્રકારે બુદ્ધિની અતિ ઉજવળતા બતાવ્યાના સ્ત્રીઓના દાખલા બહુ જ જૂજ છે; અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં પણ ઘણા મહાન પુરૂષો મહાન કાર્યો કરી શક્યા છે અને સંગીત વિદ્યા અને ચિત્ર વિદ્યા કે જેની ખીલવણીને માટે સ્ત્રીઓના સંજોગો અનુકૂળ લાગે છે તેમાં પણ અગ્રસ્થાન પ્રાપ્ત કરવામાં સ્ત્રીઓ તદન નિષ્ફળ થઈ છે–આ બધી હકિકતો જ્યારે આપણે ધ્યાનમાં રાખીએ છીએ ત્યારે પુરુષો કરતાં સ્ત્રીઓમાં બુદ્ધિ કાંઈક ઉતરતા પ્રકારની હોય છે એ વાતની ભાગ્યે જ ના પાડી શકાશે. સ્ત્રીઓમાં ફેલ, હેન્ડેલ, શેકસપીઅર કે ન્યુટન મળવા અશક્ય છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ બુદ્ધિ વિષયક બાબતેમાં વધારે પ્રાસંગિક અને ઉડઉડ કરતી હોય છે; સામાન્ય સિદ્ધાંત કરતાં અમુક અમુક દષ્ટાંતિમાં તેમનાં મન વધારે ચેટે છે; વિચારપૂર્વક વિવેક કે આ અનુભવના કરતાં સહજ પ્રત્યક્ષોથી દરેક વાતનું તેલન તેઓ વધારે કરે છે. પરંતુ વિચારની ચપળતા અને ત્વરિતતામાં, અને મનોભાવના રસિક અને બારીક ભેદ ત્વરાથી અને બરાબર પરખવાની કુદરતી શક્તિમાં તેઓ સામાન્ય રીતે ચડી જાય છે, અને તેથી તેઓ વાતચિતમાં આકર્ષક હેય છે, અને પત્ર લખનાર તરીકે, રંગભૂમિ ઉપર ખેલાડી તરીકે અને નવલ કથાકાર તરીકે તેઓ વધારે દીપી નીકળે છે. નીતિની બાબતમાં પુરૂષો કરતાં સ્ત્રીઓ ચડી જાય છે એ નિર્વિવાદ લાગે છે. પિલિસખાતાના આંકડાઓને કાંઈક જેવું તેવું અને અપૂર્ણ પ્રમાણ ગણીને બેલીએ તો આપણને માલમ પડે છે કે વસ્તીમાં સ્ત્રી પુરૂષોની સંખ્યા