Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 485
________________ 438 યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસ છે, જે કે જે વાતને તેઓ સત્ય માની બેસે છે તેમાં તેઓ બહુ મક્કમ હોય છે અને પિતાથી ભિન્ન મત વાળાને તેઓ અત્યંત ધિક્કારે છે. નિષ્પક્ષપાતતાની કે શંકા કરવાની શકિત તેઓમાં બહુ થોડી જ હોય છે; વિચાર કરવાની તેમની પદ્ધતિ લાગણીને એક પ્રકાર જ ઘણું કરીને હોય છે; કાર્યમાં જે કે તેઓ બહુ ઉદાર હોય છે, પરંતુ પોતાના અભિપ્રાયમાં કે તુલના કરવામાં કવચિત જ ઉદાર તેઓ થાય છે. નિશ્ચય કરાવવા કરતાં સમજાવી લેવામાં તેઓ વધારે કુશળ હોય છે, અને માન્યતાને કિવા આસ્થાને વસ્તુસ્થિતિના વાસ્તવિક દસ્થ ચિહન તરીકે ગણવા કરતાં દિલાસાના સ્થાન તરીકે તેની વધારે કિંમત તેઓ ગણે છે. તેથી પિતાની આસ્થામાં તેઓ આનંદ માણે છે. જે સંજોગેથી વાતમાં ફેર પડી જાય છે તે જેવાની, જે સિદ્ધાંતની સામી થએલી તે હોય છે તેમાં જે સારાં તો રહેલાં હોય છે તેમનો સ્વીકાર કરવાની, પ્રતિપક્ષીના અભિપ્રાયોથી તેની વ્યક્તિગત વત્તેણુક નેખી પાડવાની શક્તિ પુરૂષો કરતાં સ્ત્રીઓમાં ઓછી હોય છે. પુરૂષોનું વલણ ન્યાયપ્રત્યે ઘણું હોય છે, સ્ત્રીઓનું વલણ દયા પ્રત્યે ઘણું હોય છે. ઉત્સાહ, સ્વાશ્રય, ખંત અને મનની મોટાઈમાં પુરૂષો ચડી જાય છે; નમ્રતા, કમળતા, લાજ અને સહનશીલતામાં સ્ત્રીઓ ચડી જાય છે. સ્થિતિને તાદસ્થ કરી આપતી કલ્પના જે આપણને દયા અને પ્રેમના કાર્યમાં ઉશ્કેરે છે તે સ્ત્રીઓમાં વધારે તીવ્ર હોય છે અને તે કલ્પના અદશ્ય વસ્તુઓ ઉપર વધારે સ્થિત થઈ શકે છે. સ્ત્રીઓના ધાર્મિક કે ભક્તિમાન સાક્ષાત્કાર વધારે સ્પષ્ટ અને પ્રબળ હૈય છે: અને સંભાવત છે કે જ્યારે પિતાની હાજરીમાં થએલા પિતાના બાળકના મૃત્યુથી પિતાને ઘણું દુઃખ થાય છે ત્યારે બાળક જે કઈ દુર દેશાવરમાં મરી જાય છે તેથી માતાને ઘણું કરીને બહુ વધારે દુઃખ લાગે છે. તથાપિ જોકે સ્ત્રીઓની લાગણીઓ વધારે પ્રબળ હોય છે, પરંતુ આ લાગણીઓ પુરૂષોની લાગણીઓ કરતાં ઘણું કરીને ઓછી વિસ્તૃત હોય છે. તેમની કલ્પને વ્યકિતઓ ઉપર વધારે ચોંટે છે; તેથી મહાન બાબતે કરતાં મહાન નેતાઓ ઉપર તેમને પ્રેમ વધારે જામે છે; અને કદિ જો કોઈ મહાન

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492