________________ સ્ત્રીઓની પદવી. 439 બાબતની તેમને દરકાર થાય છે તો ઘણું કરીને તેનું કારણ એ હોય છે કે કોઈ મહાન પુરૂષે અગર જેના ઉપર તેમને પ્રેમ હોય છે એણે એ બાબત ઉપાડેલી હોય છે. રાજકીય બાબતેમાં સ્વદેશાભિમાન કરતાં ભકિત તેઓમાં વધારે હોય છે. ઈતિહાસમાં, સામાન્ય કારણોની કુટને કેવળ અલગ રાખીને અમુક અમુક મનુષ્યોનાં ચારિત્ર્યના પ્રસંગે અને તેમનાં લક્ષણ પ્રત્યે જ પુરૂષો કરતાં પણ તેઓ વધારે આકર્ષાય છે. પરોપકારમાં સાર્વજનિક ઉદારતા કરતાં વ્યકિતઓ પ્રત્યે ઉદારતા તેઓ વધારે કરે છે અને સાર્વજનિક સંકટને અટકાવવા કરતાં તેનું દુઃખ ઓછું કરવામાં તેઓ વધારે પ્રવૃત્ત રહે છે. પ્રાચીન કાળમાં સ્ત્રીઓના કરતાં પુરૂષના ખાસ સદાચાર વધારે પ્રશસનીય ગણાતા હતા. હિંમત, સ્વમતનું સ્થાપન, મનની મેટાઈ, અને સ્વદેશાભિમાન નૈતિક શ્રેષ્ઠતાનાં મુખ્ય લક્ષણ ગણાતાં હતાં. બ્રહ્મચર્ય, લાજ, દયા અને કોમળ અને કૈટુંબિક સદાચાર કે જે ખાસ કરીને સ્ત્રીઓના સદાચાર છે તેમની બહુ ગણના થતી નહોતી. સ્ત્રીઓએ પિતાના પતિને વફાદાર રહેવું એ વાતને ખાસ અગત્યતા તેઓ આપતા હતા; સિવાય સ્ત્રીના કોઈ ખાસ સદાચારને તે સમયમાં અગ્રસ્થાન પ્રાપ્ત થયું હતું. ઉલટું, બીજા સદાચારમાં સ્ત્રીનું સ્ત્રીપણું જેટલે અંશે નષ્ટ થતું તેટલે અંશે તેઓ વધારે પ્રશંસનીય ગણાતી હતી. પાર્ટીની માતાઓ, રિશીઆ, એરિઆ ઈત્યાદિ સ્ત્રીઓ વખણાતી તેનું કારણ માત્ર એટલું જ કે તેમનું આચરણ પુરૂષવત થયું હતું. પિતાના દેશને માટે પિતાના સંતાનનું બળીદાન આપતાં તેઓ કાંઈ ગણકારતી નહિ, અથવા તે મર્દીની બતાવી શુરવીરની પેઠે કષ્ટ સહન તેઓ કરતી. પરંતુ અર્વાચીન સમયમાં આપણે કેટલીક સ્ત્રીઓને વખાણીએ છીએ તેનું કારણ એ છે કે સ્ત્રીઓના ખાસ સદાચાર તેમનામાં બહુ બહાર પડી આવેલા હોય છે. આ પ્રમાણે પ્રાચીન કાળમાં પુરૂષોને યોગ્ય માઁની સદાચારમાં નીતિની શ્રેષ્ઠતા મનાતી હતી તે વિચાર ખ્રિસ્તિ ધર્મ ફેરવી નાખે, અને તેની જગાએ સંતવત આચરણ શ્રેષ્ઠ ગણવું લાગ્યું. તેથી કરીને ગરીબાઈ, કોમળતા, ધીરજ, દીનતા, આસ્થા