Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 477
________________ 430 * * * * * * * યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને ઉપયોગિતાની સઘળી ગણત્રીથી સ્વતંત્ર, ધર્મને કાયદો એ છે કે જીંદગી પર્વતના લગ્ન સિવાય સ્ત્રી પુરૂષના અન્ય સંબંધે ગુનાહિત છે એ ખ્રિસ્તિ ધર્મને ઉપદેશ હતો. આ સિદ્ધાંતને નિર્વિવાદ સૂત્ર તરીકે ગણવાને ઉપદેશ આપીને અને તેથી અલ્પાયુષી સંબંધની અત્યંત અપકીર્તિ કરીને અને સામાજીક સખત સજા કરીને, એવા સંબંધોમાં રહેલી જનહિતવાદ દૃષ્ટિનું પણ એણે ગંભીર રીતે રૂપાંતર કરી નાંખ્યું છે, અને ઘણાખરા, દેશમાં એવા સંબંધને ગુપ્ત કરી નાખ્યા છે અને તેમને વેશપાલ કરી દીધું છે. ઘણું કરીને નીતિની કઈ અન્ય શાખા એવી નથી કે જેના. સ્વરૂપને નિશ્ચય ખાસ નિશ્ચિત ધર્મશાસ્ત્રથી આટલે બધે થતો હોય, અને ધર્મની પડતીથી આ શાખા ઉપર જેટલી ગંભીર અસર થાય છે તેટલી. અન્ય કોઈ શાખા ઉપર થતી નથી. આ ચળવળને અંગે રેમના મહારાજ્યના પાછલા સમયમાં કેવળ સામાજીક લગ્ન જે થતાં હતાં તેને બદલે ધીમે ધીમે ધાર્મિક લગ્ન થવા લાગ્યાં. જે કાર્ય જીદગીમાં અતિ અગત્યનું પગલું છે તે કાર્યને ધર્મના દિવ્ય આશિર્વાદથી અંક્તિ કરવામાં ખાસ યોગ્યતા રહેલી છે; અને ધાર્મિક ક્રિયાને લીધે તે કરારમાં ગંભીરતાનું બહુ ઉડું ભાન આવે છે. આમ લગ્ન પરત્વે ખ્રિસ્તિ ધર્મની ખાસ ધાર્મિક દૃષ્ટિને લીધે ખાસ પવિત્ર ધાર્મિક ક્રિયાઓ સહિત તે થવું જોઈએ એવી માન્યતા ઉત્પન્ન થઈ. પણ તે રિવાજ ધીમે ધીમે દાખલ થયો હતો. લાંબા કાળ પર્યત ગુલામેનાં લગ્ન ધાર્મિક ક્રિયા પૂર્વક થતાં નહોતાં; અને સ્વતંત્ર થએલા ગુલામેના સંબંધમાં જો કે તે સામાન્ય રીતે કરવામાં આવતી હતી, પણ ખાસ કરીને આવશ્યક ગણાતી નહિ. દશમા સૈકામાં તે આવશ્યક ગણુંવા લાગી. લગ્નને પવિત્ર કરવાને ખ્રિસ્તિ. ધર્મને જે મુખ્ય ઉદ્દેશ હતા તે આમ ફળીભૂત થયે; ઉપરાંત, પાદરી વર્ગની સત્તા જમાવવામાં આગળ જતાં તે પ્રબળ સાધન થઈ પડયું. અને આ પાદરીઓ જીદગીના આ અતિ અગત્યના કરાર પરત્વે જે જે બંધને. મૂકતા તે તે બધાને આધીન થતા માણસને ફરજ પડાવવા તેઓ શક્તિમાન હતા. અર્વાચીન સમયમાં સામાજીક લગ્નના સ્વીકારથી કેથલિક

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492