Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 475
________________ 428 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. સામાન્ય રીતે એ સિદ્ધાંતને અનુસરી લેકેનાં લગ્ન થવાં જોઈએ. પરંતુ આ સ્થિતિથી આગળ ધર્મની સહાય વિના જવું અશક્ય છે. આવા પ્રકારનાં લગ્ન મોટે ભાગે થવાં જોઈએ એ ઉપરથી એમ ફલિત થતું નથી કે એજ પ્રકારનાં લગ્નો વાજબી છે અને અન્ય પ્રકારનાં ગેરવાજબી છે. સમાજના લાભ બીજી જાતના સંબંધોથી સચવાતા હોય તે તે સંબંધ શા માટે તોડી નાખવા જોઈએ ? કાયમી લગ્નની સાથે સાથે અલ્પ જીવી લગ્નો પણ હમેશાં સમાજમાં થએલાં છે. અને જ્યારે આ અપાયુષી લગ્ન કરનારામાંથી કેઈને નાત બહાર કરવામાં આવતું નથી, ગુનાના ભાનની સાથે આવતું નીતિને ભ્રષ્ટ કરે એવું જીવન સ્ત્રી પુરૂષમાંથી કઈ જ્યારે જીવતું નથી હોતું, અને પિતાની સંતતિના ભરણ પોષણની યોગ્ય વ્યવસ્થા જે તેઓ કરતાં હોય તો કેવળ બુદ્ધિના ધોરણ ઉપર એ લગ્ન પ્રત્યે આપણે નાપસંદગી શી રીતે બતાવવી તે સમજી શકાતું નથી. માત્ર અંધ કામ-વિકારની જહાંગીરી ઉશ્કેરણીથી પ્રેરાઈ અંદગી પતનાં લગ્નો માણસો ન કરે એ વાત તેમનાં સુખ અને નૈતિક શ્રેય બનેની ખાતર અત્યંત અગત્યની છે. હમેશાં એવાં ઘણાં માણસો હોય છે કે જે પ્રબળ વૃત્તિથી દોરાઈ લગ્ન કરે છે, પણ પિતાની સ્થિતિએ પિતાના છોકરાને નિભાવવાને અશક્ત હોય છે, અને તેથી એવાં લગ્ન કરીને સમાજને નુકસાન તેઓ કરે છે. તથાપિ તે છોકરાં પિતાના કરતાં ઉતરતી પણ આબરૂદાર જીંદગી ભોગવે એવી સગવડ તેઓ કરી શકે છે. આવા સંજોગોમાં બેમાંથી જેની નબળી સ્થિતિ હોય છે તેને આવા સંબંધથી નુકશાન થતું નથી પણ ફાયદો થાય છે દરજજાના ફેર તેથી ઓછા થાય છે; મિલનસાર પ્રકૃતિને તેથી ઉત્તેજન મળે છે અને સેળભેળ વ્યવહારથી ચારિત્ર્ય ઉપર જે ભ્રષ્ટ અસર થાય છે તે, અથવા વિચારહીન લગ્નોથી સમાજ ઉપર જે માઠી અસર થાય છે તે, એનાથ ઉપજતી નથીપરંતુ ઉપર કહેલા સંબંધેની ગેરહાજરીમાં બેમાંથી એક અવશ્ય મોટા પ્રમાણમાં થયા વિના રહેતું નથી. સંજોગે અને ચારિત્રયોની ભિન્નતા એટલી બધી મોટી છે કે જનહિતવાદના સિદ્ધાંત પ્રમાણે કેટલી વાર એવાં અપાયુવી લગ્ન કરવાં એ ડહાપણ ભરેલું પણ ગણાય.

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492