________________ સ્ત્રીઓની પદવી. - 421 પરણતું નહિ. રાજાઓ જ માત્ર ઘણું સ્ત્રીઓ કરતા, પણ તે શોખની ખાતર નહિ પણ શેભાની ખાતર. પિતાનાં બાળકેને માતાઓ જ ધવરાવતી હતી. બાળ હત્યાની મનાઈ હતી. વિધવાઓને ફરી પરણવાની રજા નહતી. પુરૂષોને બંધીખાનાની બીક પિતા કરતાં પિતાની સ્ત્રીઓને માટે વધારે , રહેતી. સ્ત્રીઓમાં ભવિષ્ય જાણવાની પવિત્ર શક્તિ રહેલી છે એમ તેઓ માનતા હતા, અને ઘણી વાર તેઓ તેમની આગાહી પ્રમાણે ચાલતા હતા. આવું વર્ણન ટેસીટસે પિતાના એક ગ્રંથમાં જર્મન લેકેની વિશુદ્ધિનું આપ્યું છે. સામાન્ય રીતે એમ મનાય છે કે આ ગ્રંથમાં ટેસીટસને ઉદ્દેશ પિતાના સ્વદેશી બંધુઓની સ્વછંદી રીતભાગ પ્રત્યે ના પસંદગી બતાવવાનું હતું અને તેથી જંગલીઓના સદાચારનું ચિત્ર આપવામાં એણે બહુ અતિશયોક્તિ વાપરી હતી. તથાપિ એકંદરે એ ચિત્રની સત્યતામાં શંકા લાવવાનું કાંઈ કારણ નથી. સ્ત્રીઓને ફસાવનારને મુઆ પછી અન્ય દુનિયામાં ભયંકર સજા થાય છે એવી પુષ્કળ વાતે કેન્ડિનેવિયાના પુરાણમાં કહેલી છે. જંગલીની સ્ત્રીઓ વૈદું કરતી અને સ્વપ્નના ખુલાસા આપતી, અને ઘણી વાર લડાઈમાં પિતાના પતિઓની સાથે જતી, વેરાઈ ગયેલા લશ્કરને પાછું એકઠું કરી આપતી, અને ખુદ લડાઈમાં પણ પિતે ભાગ લેતી. ઓગસ્ટસને માલમ પડ્યું હતું કે જંગલી રાજાઓને બાન તરીકે રાખવા એ નિરર્થક હતું, પરંતુ તેમની સ્ત્રીઓને પકડવાથી તેઓ અવશ્ય વફાદાર રહેતા હતા. સ્ત્રીઓએ શૈર્ય બતાવ્યાના દાખલા પણ મળી આવે છે. મેરિયસે જ્યારે ટયુટન લેકેના એક લશ્કર ઉપર વિજય મેળવ્યું ત્યારે ટયુટન સ્ત્રીઓ તેની પાસે ગઈ અને દેવ-કુમારિકાઓની તેમને યાકરડી થવા દેવાની રજા માગી કે જેથી કરીને ગુલામગીરીમાં પણ તેમની આબરૂ સચવાઈ રહે. પણ જ્યારે તેમની આ અરજની ના પાડવામાં આવી ત્યારે તેજ રાત્રે તે બધી પિતાને હાથે આપઘાત કરી મરી છૂટી. એક વાર એક સત્તાવાન અમીરે કામા નામની એક ગેલેશિયન સ્ત્રીના હાથની માગણી કરી. પરંતુ આ સ્ત્રી પિતાના પતિને વફાદાર હતી, અને તેથી તે અમીરના કેઈ કાલા