________________ 424 યૂરોપિય પ્રજાના આચરણને ઈતિહાસ. સાક્ષીની હાજરી સિવાય કોઈ સ્વતંત્ર સ્ત્રીની નસ બોલવાની સરજનને મનાઈ હતી. અને કઈ પુરૂષ સ્ત્રીને હાથ વધારે પડતે ગેરવાજબી રીતે દબાવે તે પંદર મોહરે તેને દંડ થ. ખ્રિસ્તિ ધર્મની અસરથી લેકેની નીતિમાં જે મોટો ફેરફાર ધીમે ધીમે થઈ ગયો તેમાં આ બધી હકીકત બેશક સહાયભૂત થઈ છે. જે દુરાચારની આપણે વાત કરીએ છીએ તે ઘણું કરીને બહુ ઓછો થતો. એનું અધમ સ્વરૂપ તે બેશક ઓછું થઈ ગયું હતું, અને તેમાં નવીન પ્રકારની લાજની લાગણી ઉપજવાથી એ બહાર આવતે અટકતે. નીતિને સિદ્ધાંત વધારે સ્પષ્ટ થયું અને વર્તનમાં કાંઈક વિશેષ વિશુદ્ધિ આવી. ગ્રંથોમાં અત્યંત અશ્લીલતા લખાતી તે બંધ થઈ; અને લગ્નના પવિત્ર કાયદાને સ્પષ્ટ ભંગ થતે તે તેની નિદા થતી હતી અને ઘણીવાર તેની સજા પણ થતી હતી. ધાર્મિક સજા અને પશ્ચાતાપના નિયમોથી પણ વિશુદ્ધિના વિચારને અગત્યનું સ્થાન મળ્યું. કેટલાક વિધર્મી તત્ત્વચિંતકેના પગલે ચાલી, પિતાના બાળકને માતાએ જ ધવરાવવું જોઈએ એવો આગ્રહ મહાન સંત ગ્રેગરીને હતા, અને છાલકા પિશાક અને રીતભાતની બાબતમાં પણ બારીક ઉપદેશ થતો હતો. વેશ્યાને ધંધો તદ્દન નાબુદ થયો અને વારાંગનાને વર્ગ હલકે ગણાવા લાગ્યો હતો.' ઉપરાંત, એક બીજા પ્રત્યે વફાદાર રહેવાની સ્ત્રી પુરૂષ બનેની અરપરસ ફરજ છે એ વિચાર ખ્રિસ્તિ વૃદ્ધોએ લેકની સમક્ષ ખાસ રજુ કર્યો. ઘણા ખરા જમાનામાં જ્યારે પુરૂષોની અનીતિ પ્રત્યે લગભગ આંખઆડા કાન કરવામાં આવે છે, ત્યારે સ્ત્રીઓની નીતિ ઉપર બહુ સખત અને કરડી નજર રાખવામાં આવે છે, અને આ ભેદ નીતિના ઇતિહાસમાં બહુ વિસ્મયકારક લાગે છે. વળી સ્ત્રીઓને ફસાવવા પ્રયત્ન પુરૂષ ઘણું કરીને કરે છે, સામાન્ય રીતે સ્ત્રીઓને અબળા લેખવામાં આવે છે અને સ્ત્રીઓના સંબંધમાં તેમની ભ્રષ્ટતાનું કારણ ઘણું કરીને તેમની અત્યંત દુર્દશા અને નિર્ધનતા હોય છે; આ બધી બાબતનો વિચાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પુરૂષોને દુરાચાર ક્ષમાયોગ્ય ગણાય અને સ્ત્રીઓના