Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 472
________________ nnnnnnnnnnnnnnnnnnnnnnn સ્ત્રીઓની પદવી. 425 દુરાચાર પ્રત્યે અત્યંત સખ્તાઈ રખાય એ વાત ન સમજાય એવી લાગે છે. આ વિષમતાનાં કેટલાંક કારણે પણ અપાયાં છે. આ સજાપાત્ર ગુને પુરૂષોના કરતાં સ્ત્રીઓના સંબંધમાં વધારે ચોકસતાથી અને સહેલાઈથી જાણી શકાય એવો છે; વળી છોકરાંના ગુજરાતને આધાર પિતા ઉપર હોવાથી, સ્ત્રીઓના અનાચારથી પુરૂષને નુકસાન અને અન્યાય થાય છે; વળી વ્યભિચારથી પેદા થયાં ન હોય એવાં અન્ય અનૌરસ બાળ ઘણું કરીને અંતે ગુનેગાર કે ગરીબ નીવડી આવે છે અને તેથી તેમને બજે સમાજને ભેગવ પડે છે, કારણ કે તેમને નિભાવવાને કઈ કરાર તેમના પિતાએ કરેલું હેત નથી. ઉપરાંત, અન્ય કેટલાંક કારણને લીધે આ સદાચારનું પાલન એક જાતિ કરતાં બીજી જાતિને વધારે કઠિન હોય છે, અને પ્રચલિત સામાજીક અભિપ્રાયને લીધે ઉપજતી નૈતિક ભ્રષ્ટતાના દરેક વિચારને અળગો રાખીએ તે પણ એ સદાચારનો ભંગ સ્ત્રીની પ્રતિકામાં સ્વાભાવિક રીતે જ વધારે હીણપદવાળે લાગે છે, અને વળી. આ બાબતમાં આપણું ઘણુંખરી લાગણીઓ પુરૂષોએ બાંધી આપેલા નીતિના નિયમોને અને વ્યવસ્થાને આભારી છે અને તેથી પુરૂષોને તે વધારે લાભકારી છે; અને તેથી પુરૂષોને બચાવ વધારે થાય છે. કે ગમે તેમ છે, પણ સ્ત્રી અને પુરૂષના આ બાબતમાં સમાન હક છે એ બાબતમાં ખ્રિસ્તિ વૃદ્ધોને સિદ્ધાંત અને ઉપદેશ તદન સ્પષ્ટ હતા; અને જો કે સેનિકોએ અને સ્કૂટાર્કે અગાઉ આવો જ ઉપદેશ કર્યો હતો, તથાપિ પ્રાથમિક ખ્રિસ્ત સમયમાં આ સિદ્ધાંતનો જેવો સાક્ષાત્કાર થયો હતો તે સાક્ષાત્કાર અગાઉ કે પછી કદિ પણ ઘણું કરીને થયો નથી. પરંતુ આ વિજય અદ્યાપિ પર્યત ટકી રહ્યો છે એમ કહી શકાય એમ નથી. વિધર્મ રોમ કરતાં હાલના વખતમાં જે કે નીતિનું ધોરણ બહુ ઉચ્ચતર થયું છે, તથાપિ આ દોષના સંબંધમાં ઠપકાની અસમાનતા વિધર્મીઓના સમય કરતાં અત્યારે ઓછી હોય એ સંશયની વાત છે, અને ઘણું જ શરમ ભરેલા અને ઘણીજ નિર્દય અન્યાયનું કારણ આ અસમાનતા થાય છે. સ્ત્રી-પૂજા અને શૌર્યના સમયમાં સાહસિક પણ ભ્રષ્ટ વીર પૂજનીય

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492