Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 470
________________ સ્ત્રીઓનો પદવી. 42 3 કાયમનું કલંક ચોંટયું. પરંતુ જંગલીઓની નૈતિક વિશુદ્ધિ તપવૃત્તિના દષ્ટિબિંદુથી તદ્દન ભિન્ન પ્રકારની હતી. તેનું બધું જે માત્ર લગ્નની બાબત ઉપર જ એકત્ર થયું હતું. લગ્ન સંબંધમાં ઉત્તમ પ્રકારની વફાદારી બતાવવામાં તે બહાર પડી આવતી, પરંતુ કુંવારી જીંદગીના જે અનિષ્ટ પરિણામ પાદરી વર્ગમાં આવ્યાં તે અટકાવવાની યોગ્યતા એનામાં થોડી જ હતી. વળી જંગલી રાજાઓમાં બહુ સ્ત્રી કરવાને રિવાજ હતો અને સૈકાઓ સુધી ખ્રિસ્તિ ધર્મ તેમાં કાંઈ પણ અટકાયત કરી શક્યો નહોતો. કેરીબર્ટ અને શિલપરીક બને રાજાઓને એકી વખતે ઘણું રાણીઓ હતી. કોટેર રાજા પિતાની સ્ત્રીની હયાતીમાં તેની બેનને પરણ્યો હતો, અને રાજાના આ ઈરાદાની ખબર પડતાં તે સ્ત્રીએ નીચે પ્રમાણે કહ્યું કહેવાય છે. “મારા પ્રભુની નજરમાં જે સારું લાગે તે બેલાશક કરે; માત્ર તમારી આ દાસી ઉપર કૃપા રાખો એટલે થયું.” ડેગોબર્ટને ત્રણ સ્ત્રીઓ અને રખાતને ટેળું હતું. શાર્લમેનને પિતાને પણ એક વખતે બે સ્ત્રીઓ હતી અને રખાતે પણ ઘણી હતી. પરંતુ શાર્લમેનના વખત પછી આવા દાખલા બહુ જુજ બનતા હતા. કૌટુંબિક નીતિ ઉપર પિપ અને બિશપ ચીવટથી દેખરેખ રાખવા લાગ્યા, અને ઘણીવાર તેઓ તેમાં ફતેહમંદ પણ નીવડતા, અને રાજાઓ અને અમીરે પિતાની સ્ત્રીને ત્યાગ કરવાનો પ્રયત્ન કરતા તે તેઓ તેમની સામે મજબુત વાંધો લેતા. તથાપિ પાછળના સમયના રેમન લેકેની નીતિ કરતાં જંગલીઓની વિશુદ્ધિ વધારે ચડીઆતી હતી એ નિઃસંશય છે, અને એ વાત એમના કાયદાથી પણ સિદ્ધ થાય છે. પુરૂષની સામે બાયલાપણુને ખોટો આપ લાવે તેને જે સજા કાયદા પ્રમાણે થતી હતી તેના કરતાં વધારે મોટી સજા સ્ત્રીની સામે બેવફાઈને જે ખોટે આરોપ લાવે તેને માટે કાયદામાં કહી હતી. વ્યભિચાર અને બળાત્કાર સંભોગની સામે સખત કાયદા હતા. અને તે ગુના અટકાવવા બહુ નાની નાની બાબતની પણ સંભાળ લેવાતી હતી. પોતાના ધણ કે પાસેના સગા કે છેવટ રીતસર નિયત થએલા

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492