Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 466
________________ સ્ત્રીઓની પદવી. 419 માંડી બેઠેલી તપોવૃત્તિએ ધારેલા પરિણામથી કેવળ જૂદું જ પરિણામ ઉપજાવ્યું અને ધર્મને સિદ્ધાંત જાણવા છતાં પાદરીઓ અનાચારમાં જત. અટક્યા નહિ. લગ્ન પ્રત્યે નિરંતર હલકી દૃષ્ટિએ જોવાની ટેવથી અને લગ્નમાં જો કે વાજબી ઉદેશ હોય તો તે માત્ર વસ્તીની વૃદ્ધિ છે એવી ગણનાથી, કલ્પના ઉપર ખાસ કરીને ભ્રષ્ટ અસર થવા લાગી. મોટી ભકતાણું બની બાઈડીઓ પોતાના પતિથી અલગ રહેવા ઈચ્છતી; તેથી પતિઓને ગંભીર પ્રકારની ભ્રષ્ટતામાં પ્રવૃત્ત થવાની જરૂર પડતી હતી. વહાલામાં વહાલા સંબંધમાં પાપને વિચાર પ્રવેશ પામે અને લગ્નને આ વિષય છતા. અને સંકુચિત દૃષ્ટિથી જેવાવા લાગે. પ્રેટેસ્ટંટ મતથી એક મોટો લાભ એ શો કે વિચાર અને વૃત્તિની આ પદ્ધતિ એણે સંસારમાંથી હાંકી કાઢી, અને લગ્નને પવિત્રતા અને મોભો પુનઃ પ્રાપ્ત કરી આપ્યાં. આમ કુદરતના કાયદા સામે વર્તવાથી પરિણામ સારું ન આવ્યું. લગ્નને મનુષ્યના વ્યવહારમાં યોગ્ય સ્થાન આપવાથી જ સમાજનું શ્રેય થાય છે. તપત્તિનું બીજું અનિષ્ટ પરિણામ એ આવ્યું કે સ્ત્રીઓની પ્રતિષ્ઠા અને પદવીને અત્યંત હલકી ગણવાનું વલણ પેદા થયું. આ વલણમાં યાહુદી લેકનાં લખાણોની અસર આપણને સ્પષ્ટ માલમ પડી આવે છે. કન્યાના બાપને ખરીદીના પૈસા આપવાના રીવાજને સ્વીકાર તેમનામાં હત; એકથી વધારે સ્ત્રી કરવાની પરવાનગી હતી, અને સારામાં સારા માણસો પણ ઘણી બાઈડીઓ કરતા હતા. મનુષ્યના દુઃખનું મૂળ સ્ત્રી ગણાતી હતી. દરેક બાળકના જન્મ પછી સ્ત્રીને વિશુદ્ધ થવાને અમુક કાળ ઠરાવ્યો હતો, અને પુત્ર કરતાં પુત્રીની બાબતમાં તે બમણો હતો. એક યહુદી લેખકે ભાર દઈને કહ્યું કે સ્ત્રીની મોહક સારપ કરતાં પુરૂષની ભંડપ સારી હોય છે. યાહુદીના ઇતિહાસના પ્રાથમિક સમયમાં સ્ત્રીની સર્વોત્તમત્તાના જે નમુના ચિતરવામાં આવ્યા છે તે ઘણું કરીને બહુ હલકા પ્રકારના છે, અને રેમના ઇતિહાસમાં, કે ગ્રીક-કવિતામાં જે નમુના આપણે જોઈએ છીએ તેમનાથી બેશક ઉતરતા છે. ' યાહુદી લેકેના લખાણોમાંથી ચાલી આવેલી આ અસરમાં તપ

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492