________________ સ્ત્રીઓની પદવી. 417 ત્યારે તેઓ વફાદાર રહેતી નહિ. લેખકે કહે છે કે મઠની સાધ્વી સ્ત્રીઓમાં અત્યંત અનાચાર પ્રવાર્યો હતો અને બાળહત્યાઓ અસંખ્ય થવા લાગી હતી. પાદરીઓ ગેત્રગમન કરવા લાગ્યા હતા, અને આ અનાચાર એટલે બધો વધી પડવો હતો કે પાદરીઓએ મા બહેન સાથે પણ ન રહેવું એવા અનેક વાર કાયદા કરવા પડ્યા હતા. ખ્રિસ્તિ ધર્મની એક મોટી સેવા સૃષ્ટિ. વિરૂદ્ધ મૈથુનને જડમૂળથી નાશ કરવાની હતી. તે દુરાચાર પણ હવે મઠમાં કવચિત થતો આપણે સાંભળીએ છીએ. વળી ધર્મને નામે થતી કબુલતેને ઉપગ દુરાચારમાં થવા લાગ્યો અને તેની સામે પિકાર ઉઠવા લાગ્યો. દરમ્યાન ધર્મમાં તે અનેક સખત બંધન થતાં રહ્યાં હતાં. પાદરીઓએ ગુપ્ત લગ્ન કરવાં નહિ; પ્રથમ પરણેલા પાદરીઓએ પિતાની સ્ત્રીઓ જોડે વ્યવહાર કરે નહિ ઇત્યાદિ અનેક કાયદાઓ થયા હતા. તથાપિ લેક-અભિપ્રાય પણ તેમાં ભળે, અને પરણેલા પાદરીઓની દુર્દશા થવા લાગી; અને અંતે પાદરીઓ કુંવારા રહેવા લાગ્યા. છતાં હજી એ બાબતમાં અનિયમિતતા કેટલી બધી હતી તે મઠની સંસ્થાને જ્યારે નાબુદ કરવામાં આવી ત્યારે મઠોમાં માલમ પડી આવેલા ઘેર દુરાચારેથી, અને લેકે પિતાના પાદરીઓને ખાત રાખવાની ફરજ પાડતા, ઇત્યાદિ વાતથી સ્પષ્ટ દીસી આવે છે. ધર્મગુરૂઓના આવા જીવનની ઘણી જ માઠી અસર લોકોની રહેણીકરણી ઉપર થયા વિના રહેતી નથી. કેટેસ્ટંટ દેશે કે જ્યાં પાદરીને પર ણવાની છૂટ હોય છે ત્યાં લેકેની નીતિ અને સ્થિતિ ઉપર બહુ મોટી અને સારી અસર થએલી છે એ વાત ઈતિહાસથી સિદ્ધ થાય છે. એ દેશમાં સર્વત્ર સુખ, શાંતિ, સંતોષ અને અનાયાસે થ સદાચાર જોવામાં આવે છે; અને માંદાની મુલાકાતમાં, ગરીબોને થતી સહાયમાં, ઉછરતા યુવકને અપાતા ઉપદેશમાં; પાદરીઓની સ્ત્રીઓને પુષ્કળ અવકાશ અને પરિશ્રમનાં સ્થળ મળે છે, અને આવી બાબતમાં સ્ત્રીઓનું કાર્ય-કૈશલ્ય ખાસ કરીને બહુ ઉપયોગી થાય છે.