Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 465
________________ પૂરીપલ ને 418 યૂરોપિય પ્રજાના આચરણને ઈતિહાસ. પરંતુ કેથલિક પાદરી જે પ્રમાણિકતાથી કુંવારી જીદગી ગાળે તે એવી જાતના નમુનાને માણસ એ બની જાય છે કે જેમાં ગંભીર અને ભયંકર દોષોની સાથે માણસજાત મહા પ્રયાસે મેળવી શકે એવા કેટલાક ઉત્તમ ગુણે પણ ભળેલા હોય છે. સંસારના પ્રેમ અને ઘણું ખરાં બંધનથી મુક્ત, કેથલિક સંપ્રદાયની સંકુચિત દૃષ્ટિએ જીવનને ઘણું કરીને જેવાવાળા અને મનુષ્ય સ્વભાવને કમળ અને વિસ્તૃત કરે એવા સંબંધોથી રહિત થએલા એવા આ કેથલિક ગુરૂઓ અત્યંત પ્રબળ અને ક્રર ધર્મ-ઝનુન માટે ઘણું કરીને મશહુર થએલા છે અને પોતાની ધર્મ-સંસ્થા સિવાય બીજી બધી બાબતના બેદરકાર માલમ પડેલા છે. તેમની સહૃદયતાને પ્રદેશ સંકૂચિત હોવાને લીધે, અને બુદ્ધિગત તાબેદારી તેમણે વહોરેલી હોવાથી યુવકોને શિક્ષણ આપવાના કામમાં ખાસ કરીને તેઓ અયોગ્ય હોય છે, અને દુનિયાના દુર્ભાગ્યે એ શિક્ષણ લાંબો કાળ તેમના હાથમાં રહ્યું હતું. બીજી રીતે જોઈએ તે ધર્મમાં એક ચિત્તવાળા, દઢ, બીન સ્વાથ, દુનિયાની વહાલામાં વહાલી વસ્તુઓને કર્તવ્યની ખાતર ભોગ આપનારા, અને દુઃખ, સંકટ અને મૃત્યુ વખતે અડગ મનવાળા તે હોય છે. આવા સારા નમુનાના કેથલિક પાદરીઓ મધ્યકાળના અતિ અંધકારમય સમયમાં પણ ઘણા થયા હતા એ વાત ખરી; પરંતુ એકંદરે પદરીઓના દુરાચારથી જન-સમાજની રહેણીકરણીઉપર બહુ માઠી અસરથઈ હતી એ વાત પણ નિર્વિવાદ છે; અને વિશુદ્ધિની બાબતમાં બ્રિસ્તિ ધર્મના ઉપદેશે જે મેટી જન-સેવાઓ બેશક બજાવી છે તેમની કિંમત એથી ઓછી થઈ જાય છે. પાદરીની સ્ત્રીઓ અત્યારે સમાજમાં જે મોભો ભોગવે છે તે મોભો રખાતો ભગવે એટલે દરજજે પાદરીઓના તે સંબંધને સંપૂર્ણ સ્વીકાર કદિ થયો નહોતે, અને નીતિના મુખ્ય ઉપદેશકે અને દષ્ટાંતભૂત પુરૂષો સામાન્ય રીતે એવા સંબંધમાં પિતાનું જીવન ગાળે કે જે સંબંધને લેકે સંશય પડતો કે બેટો માને તેની અસર દેશના દરેક વર્ગ ઉપર ઘણી ખરાબ થએલી હોવી જોઈએ, તેથી કરીને નીતિમાં તેમને દાખલો બેશક બહુ ખરાબ બેઠેલે છે જોઈએ. જન–સ્વભાવમાં રહેલા કુદરતી તત્વની સાથે જ વિરોધ

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492