Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 463
________________ 416 યુરોપિય પ્રજાના આચરણને ઈતિહાસ. રીતે વર્તતા હતા, અને ધર્મસંસ્થામાં આગળ પડતા મોભા ભોગવતા; અને ઘર અનાચાર ત્વરાથી બધે પ્રસરી ગયા હતા. દશમા સૈકાને ઇટાલીને એક ધર્મગુરૂ પિતાના સમયમાં ચાલતા દુરાચારનું ચિત્ર આપતાં ટૂંકામાં કહે છે કે જો ધર્મના કાનુન બરાબર અમલમાં મૂકવા માંડીએ તે ધર્મસંસ્થામાં કોઈ રહે નહિ, કારણ કે એ સંસ્થામાં નાના છોકરાં સિવાય કોઈ ચેપ્યું નહોતું, અને તે પણ અનૌરસ હતાં. આ અનાચાર એટલે બધે તે વધી પડ્યો હતો કે ધર્મગુરૂઓને પોતાની જગા વારસામાં મૂકી જવાને ભય એથી વિશેષ વખત ઉપજ્ય હતે. ધર્મગુરૂઓ રખાત રાખે તે તેના ઉપર એક કર લેવા અને સૈકાઓ પર્યત રાજાઓએ તે લીધો હતો. આવે અનાચાર સહન કરવા કરતાં પાદરીઓ પરણે તો તેમાં કાંઈ ખોટું નથી એમ પણ મનાવા લાગ્યું હતું. અને ચમત્કાર કરી બતાવવાની શક્તિમાં લગ્ન નડતર રૂપ થતું નથી એમ બતાવવા અગીઆરમા સૈકામાં કેટલાંક દષ્ટાતિ પણ વર્ણવવામાં આવ્યાં હતાં. છતાં ધર્મ-સભાઓ “લગ્નમાં પાપ છે” એ ઠરાવ કરતી અને મોટા મોટા સંતે પણ તેમાં અનુમોદન આપતા. આમ પાદરીઓ જે જીંદગી ગુજારતા હતા તે સિદ્ધાંતમાં તે સામાન્ય રીતે પાપરૂપ ગણતી હતી. આ પ્રમાણે એક વખત પિતાના વ્રત્તને ભંગ કર્યા પછી જાણી જોઈને પાપ આચરતા પાદરીઓ સામાન્ય માણસ કરતાં પણ વધારે અધમ થઈ જાય છે. તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. ત્રેવીસમાપ જૈનને ગેત્રગમન અને વ્યભિચારને માટે સજા થઈ હતી; ઈંગ્લાંડના એક પાદરીને એક ગામડામાં સત્તર અનૈરસ છોકરાં હતાં; સ્પેનના એક પાદરીએ સીતેર રખાતો રાખી હતી; અને લીજના બિશપ હેત્રી ત્રીજાને 65 અનૌરસ બાળકે હતાં. આવા છૂટા છવાયા દાખલાનો વિચાર આપણે ન કરીએ, તે પણ માત્ર રખાતના દેષથી પણ વધારે મોટા દુરાચારનું ચિત્ર ધર્મસભાઓ અને લેખકેના લખાણમાં આપણી દૃષ્ટિએ પડયા વિના રહેતું નથી. એવું કહેવાય છે કે જ્યારે પાદરીઓ પરણતા ત્યારે તેમની સ્ત્રીઓને જ્યારે ખબર પડતી કે એવાં લગ્ન ધર્મની દૃષ્ટિમાં કાયદેસર ગણાતાં નથી

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492