________________ 414 યૂરોપીય પ્રજાના આચરણ ઈતિહાસ. તો કે પ્રથમના આદમને એક જ સ્ત્રી હતી; બીજા આદમને એકે નહતી. જે લેકે બીજીવારના લગ્નને વાજબી ગણે છે તે ત્રીજા આદમને માને છે અને તે બે વાર પરણ્યો હતો.” તે પુનઃ કહે છે “વિચાર કરે કે જે સ્ત્રી બીજીવાર પરણેલી હોય તે જે કે વૃદ્ધ અને અપંગ હોય અને ગરીબ હોય તોપણ ધર્મની સખાવત લેવાને લાયક તે ગણાતી નથી. પણ જે સખાવતને રોટલે તેની કનેથી લઈ લેવામાં આવે છે, તે સ્વર્ગને રોટલે કેટલે બધે ભારે છે!” અર્થાત તે સ્ત્રી નરકમાં જશે. ઓરિજનના મત પ્રમાણે “બીજીવારના લગ્ન કરનારા ઈશુ ખ્રિસ્તના નામે બચી જાય છે, પણ ઈશુ ખ્રિસ્ત પણ તેમને વિજય તે અપાવી શકતો જ નથી.” “તેથીજ,” ઈશુખ્રિસ્ત અને ધર્મ સંસ્થાના જોડાણની જે સરખામણી સંતપેલ લગ્નની સાથે કરે છે તેને ઉદ્દેશીને સંગ્રેગરી નેઝીઅન એમ કહેઃ “બીજીવારનાં લગ્ન મને ગેરવાજબી જણાય છે. જો ઈશુખ્રિસ્ત બે હોય તે બે પતિ કે બે પત્ની હય. ઈશુખ્રિસ્ત જે એક જ હોય, તે લોહી પણ એક જ છે; તે પછી બીજું લગ્ન નિંદ્ય છે. પણ જે બીજાની જ એ મનાઈ કરે છે, તે પછી ત્રીજા લગ્નનું તે શું કહેવું?” ખરું જોતાં સ્ત્રી પુરૂષોએ ધર્મને જ વરવું જોઈએ, સંસારને પ્રથમ પતિ જ બીજે છે, અને તેની પણ માંડમાંડ છૂટ અને ક્ષમા મળે છે, ત્યાં ત્રીજની તો વાત કરવાની પણ કયાં રહી ? ત્રીજામાં તે પાપ જ છે; અને તેથી પણ આગળ જાય તેને તે પશુ જ સમજવો જોઈએ તેથી બે વાર પરણેલે માણસ પાદરી થઈ શકતો નહિ, ધર્મ-સંસ્થાની સખાવત તેને મળતી નહિ અને અમુક કાળ પ્રાયશ્ચિત કર્યા વિના પ્રભુભોજનમાં તેને ભાગ મળતો નહિ. જે કદી બે વાર પરણ્યો હોય તેને ઈંગ્લાંડમાં મધ્યકાળમાં પાદરીને લાભ મૃત્યુ સમયે મળતે નહિ; ઈત્યાદિ ધર્મની અનેક સખ્તાઈ આ બાબતમાં હતી. ' પાદરીઓને કુંવારા રાખવાની બાબતમાં પણ ધર્મની વૃત્તિ જણાઈ આવે છે, પણ આ બાબત ઘણી વિશાળ છે, અને તેથી તેને ઇસારે. માત્ર અત્ર આપણે કરશું. આ વિષય પરત્વે બે વાત સર્વમાન્ય છે. ધર્મ સંસ્થાના બંધારણની છેક શરૂઆતમાં પાદરીઓને પરણવાની છૂટ હતી,