Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 459
________________ ૪૧ર યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસઆ અપવિત્રતાએ ઘણું રૂપ લીધાં અને કેટલાક સૈકાઓ પર્યત ધર્મસંસ્થા ઉપર એની ઘણું અસર થઈ. આ પ્રમાણે મધ્ય કાળમાં, પ્રભુભોજનના માનમાં ક્રિયા થયા પછીની રાત્રીએ સ્ત્રી પુરૂષે અલગ રહેવાને રિવાજ હતે. જે આગલી રાત્રીએ સ્ત્રી પુરૂષ અલગ રહ્યાં ન હોય તો ધર્મના કેઈ મહાન મહોત્સવમાં તેમણે ભાગ ન લે એ સ્પષ્ટ આદેશ હતો. મહાન સંત ગ્રેગરી કહે છે કે એક યુવાન સ્ત્રીએ આ શરત પરિપૂર્ણ કરી નહોતી છતાં સંત સેબાસ્ટિયનના વરઘોડામાં ભાગ લીધો હતો તેથી તેને પિશાચ વળગે હતેઆવી ભૂલનું જે પાપ કરે તેને માટે નરકમાં પણ ખાસ દુઃખની જગા નિર્માણ કરી હોય છે એમ આલબેરિકની દિવ્ય-દષ્ટિમાં પણ વર્ણવ્યું છે. અર્થાત એ વખતે આ બાબતમાં વિચાર કે હતો તે આ સઘળાથી જણાઈ આવે છે. લગ્ન પ્રત્યે આવી દષ્ટિ થવાથી બે પરિણામ બીજ પણ આવ્યાં. બીજી વાર પરણવાને અત્યંત અણગમે લોકોમાં ઉપજ્યો અને પાદરી વર્ગને કુંવારા રાખવાની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થઈ. રેમન લેકમાં બીજી વારનાં લગ્ન પ્રત્યે અણગમે અને કંટાળો પ્રાથમિક સમયમાં હતું, પણ તેનું સ્વરૂપ ભિન્ન હતું અને તેનાં આંતરિક કારણે જૂદાં હતાં, તે લેકમાં જે એક લગ્નથી સંતુષ્ટ રહે તેને મર્યાદશીલતાન મુગટ પહેરાવવામાં આવતો હતો અને એકથી વધારે લો ગેરવાજબી અનિયમિતપણાનું ચિહ્ન ગણાતું હતું. પિતાના પતિ પ્રત્યે જે પ્રેમ રાખવાની સ્ત્રીની ફરજ છે તે એવો વિશુદ્ધ અને ગંભીર છે કે પતિના મૃત્યુ પછી પણ તે ટકી રહેવો જોઈએ અને એ પ્રેમ પછી કોઈ અન્ય ઉપર ચોંટી જ શકે નહિ એવી અત્યંત સુઘડ અને લાગણીવાળી વૃત્તિમાંથી મુખ્યત્વે કરીને આ વિચાર ઉછરી આવ્યો હોય એમ જણાય છે. આ વિચાર, ડાઈડોના મુખમાં વર્જલ બહુ સુંદર શબ્દોમાં મુકે છે, અને પિતાને પતિ ગુજરી ગયા પછી એકાંત વાસમાં રહી પતિસ્મરણમાં જ આખી જીંદગી ગાળવાના ઘણી સ્ત્રીઓના દાખલા રોમના ઈતિહાસમાંથી મળી આવે છે. તેમાંથી કેટલીક તે ભરયુવાનીમાં હતી. કેમિલસના કુટુંબમાં બીજી વારનાં લગ્ન કઈ કરતું નહિ;

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492