________________ - - - - - ' સ્ત્રીઓની પદવી. 411 તરસ્યા જેવી; અથવા પિતાના પાડોશીની દોલતને વિચાર કરતા ગરીબ માણસ જેવી, તેની દશા હતી; અને પરણેતર છદગીના દુખ અને કંટાળાનું તીવ્ર ચિત્ર એ આપે છે. જેમાં સ્ત્રી પુરૂષો પરણ્યા છતાં એક બીજાથી અલગ રહેવાનું કબુલ કરતાં એવાં માત્ર નામનાં જ લગ્ન પણ થોડાં થતાં નહિ. શહેનશાહ હેત્રી બીજે, ઈગ્લાંડને એડવર્ડ ધી કનફેસર, સ્પેનને આલફેન્સો બીજે, ઇત્યાદિ એ વાતનાં દૃષ્ટાંત છે. ઈનચુરિઓસિસ નામને ગલને એક તાલેવંત યુવાન એક યુવાન કુમારિકા ઉપર અત્યંત પ્રેમબદ્ધ હતો અને તેને પરણી ઘેર લાવ્યું. તે જ રાત્રીએ આંખમાં આંસુ લાવી નવલ વધુએ કબુલ કરી દીધું કે એણે તે કુમારિકા-ત્રત ગ્રહણ કર્યું હતું અને તેના પ્રેમની ખાતર આ લગ્ન કરવામાં એ દોરવાઈ હતી તે બાબત હવે એને ઘણો પસ્તાવો થતો હતો. પતિએ કહ્યું કે પરણ્યા છતાં એ વ્રત એણે પાળવું; અને તેઓ ભેગાં રહ્યાં, પણ પત્નિએ પિતાનું વ્રત છેવટ પર્યત અભંગ રાખ્યું. ઘણા વર્ષ ઘછી જ્યારે એ બાઈ ગુજરી ગઈ ત્યારે પતિએ તેને દાટતાં દાટતાં કહ્યું કે જે પવિત્ર સ્થિતિમાં એ એને મળી હતી તેની તે જ પવિત્ર સ્થિતિમાં ઈશ્વરને એ પાછી સોંપી દે છે. આ સાંભળી મૃત પત્નીના મોં ઉપર સ્મિત ફરક્યું અને તેણે કહ્યું: “જે બાબત વિષે તમને કઈ પૂછતું નથી એ વાત તમે શા માટે બોલે છે ? " થેડા જ વખત પછી તે પતિ પણ મરણ પામે અને જ્યારે એના મૃતદેહને તે જ કબરમાં પણ જૂદો દાટવામાં આવ્યું ત્યારે ફિરસ્તાએ આવી બન્નેને સાથે મૂકી દીધાં. આવા ઉપદેશનું પરિણામ એ આવ્યું કે કૌટુંબિક જીવનમાં ઘણું ગેરવ્યવસ્થા પેઠી અને નાસ્તિક વર્ગ ઘણે સ્વછંદી થવા લાગે. તેથી સ્વાભાવિક રીતે જ ધર્મ-સંસ્થાના વધારે ડાહ્યા આગેવાને ભયભીત થવા લાગ્યા; એટલે એ આદેશ થયો કે પરણેલાં મનુષ્યોએ એક બીજાની પરવાનગી લીધા વિના તપધારી જીવનમાં પ્રવેશ કરે નહિ, તેમ છતાં તપોવૃત્તિના દાષ્ટબિંદુમાં કાંઈ ફેર પડ્યો નહિ. પરણવું જ નહિ, અને પરણવું તે એક બીજાથી કેવળ અલગ રહેવું એ વાત પવિત્રતાની સાબીતિ ગણવા લાગી, અને લગ્નમાં પણ હલકાઈ અને ભ્રષ્ટતા ગણાવા લાગી.