________________ 410 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પવિત્રતા પ્રાપ્ત કરવી હોય તેણે તે કુંવારા રહેવું એ એનો ઉપદેશ છે. તેથી સ્ત્રી કે પુરૂષમાં તપવૃત્તિની ઈચ્છા પ્રબળ થઈ એટલે તેમના ગૃહ સ્થાશ્રમને તે રામરામ. લગ્નના લાકડાને કુંવારાપણાના મુવાડાથી કાપી નાખવું " એ સંત જેરોમની જીંદગીને ઉદ્દેશ જ હતું, અને લગ્નથી કુમારિકાઓ નીપજી શકે છે એટલું જ તેમાં સારું છે, એમ તે કહેતો હતો. પરણ્યા પછી પણ તપવૃત્તિની પ્રબળતાનું વિષ ચાલુ રહેતું. કૌટુંબિક જીવનના બીજા સંબંધોમાં આથી કેટલી કડવાશ આવતી તે આપણે આગળ જોયું છે. પરંતુ સ્ત્રી પુરૂષના સંબંધમાં તે તેથી દશગણું કડવાશ વધી પડતી. બેમાંથી એક તપેવૃત્તિ તરફ વળતાં તેઓ છૂટા પડતાં, અગર એક છાપરા નીચે રહેવા છતાં એક બીજાથી અલગ રહી અકુદરતી જીવન ગાળતાં. ખ્રિસ્તિ વૃદ્ધોનાં લખાણમાં અનેક સંત જીવનની કથામાં આવા દાખલા અનેક છે. સંત નાઈલસ પર, બે છોકરાં થયાં, અને પછી રોતી કળકળતી પિતાની બાઈડીને સમજાવી તેની કબુલત મેળવી એ તપધારી થઈ ગયો. સંત એમેન પરણ્યાની પહેલી રાત્રીએ જ બાઈડીને ઉપદેશવા લાગ્યો કે લગ્નમાં તે પાપ છે. અને તુરત જ બને છૂટા પડી ગયાં. સંત મેલેનિયાએ ઘણે લાંબે વખત પિતાના ધણીને આજીજી કરી પિતાને અલગ રાખવાની કબુલત મેળવી હતી. લગ્નની રાત્રીએ જ સંત એબ્રાહમ પિતાની સ્ત્રીને છોડીને નાસી ગયો હતે. સંત એલેક્ષિસે પણ એમ જ કર્યું હતું એમ કહેવાય છે. પણ ઘણું વર્ષ પછી જેરૂસેલેમથી પિતાના પિતાને ઘેર એ આવ્યો; અહીં એની સ્ત્રી હજી એના ત્યાગને શોચ કરતી હતી: પણ આ સંતે અજાણ્યા માણસ તરીકે ઘરમાં રહેવાની ભીખ માગી જીવતાં સુધી અજાણે તે ઘરમાં એ રહ્યો હતો. પિતાનાં લગ્ન થઈ ગયાને લીધે પિતાને અભાગીઓ માનતા ન્યાસાના સંત ગ્રેગરીએ કુંવારાપણની ખુબ પ્રશંસા કરી છે અને તે અમૂલ્ય લાભ તેને મળી શકે નહિ તેને માટે ઘણે શોચ એણે કર્યો છે. એ કહેતા કે પિતાની મહેનતનું ફળ પિતે જ કદિ પણ નહિ જોગવવાને સર્જિત થએલા જેવી અથવા ખેતરમાં હળમાં જુતેલા બળદ જેવી, અથવા તળાવને કાંઠે ઉભેલે છતાં તેનું પાણી નહિ પીવાને સરજાએલા