________________ સ્ત્રીઓની પદવી. 413 તેથી તે કુટુંબને ખાસ માન આપવામાં આવતું હતું. એક મન કવિ કહે કે સ્ત્રી જીવતી હોય ત્યારે તેના ઉપર પ્રેમ રાખવામાં આનંદ છે; પણ તેના ગત થયા પછી તેના ઉપર પ્રેમ રાખવામાં ધર્મનું કામ છે. પરંતુ બીજા લગ્નની અઘટિતતા સ્ત્રીઓના સંબંધમાં જેટલી લાગતી તેટલી પુરૂષના સંબંધમાં ઘણું કરીને લાગતી નહિ, અને જેટલી લાગતી હતી તેનું કારણ અન્ય હતું. છોકરાને સાવકી માનું દુઃખ ન થાય એટલા માટે ઘણું કરીને પુરૂષો ફરીને પરણતા નહિ. ફરી લગ્નથી જે નૈતિક વૃત્તિને આ પ્રમાણે આંચકો લાગતો હતો તે વૃત્તિ ખ્રિસ્તિઓની તપોવૃત્તિમાં ભળી ગઈ, પણ તેને માટે કારણો જુદાં અપાવા લાગ્યાં. પ્રથમ તે, આપણને માલમ પડે છે કે પતિના પ્રેમાળ સ્મરણને લીધે ક્રિય રહેવું જોઈએ એ વાત તદ્દન જતી રહી. બીજી વાત એ છે કે સ્ત્રી પુરૂષના સંબંધમાં અત્યંત ભ્રષ્ટતા રહેલી છે એ વાત લક્ષમાં રાખી ખ્રિસ્તિ ધર્મના લેખકે લગભગ હમેશાં કહેતા કે બીજી કે ત્રીજીવારનાં લગ્નો માત્ર પશુવૃત્તિને તૃપ્ત કરવાની ખાતરજ થાય છે. ખ્રિસ્તિ ધર્મના કેટ: લાક પંથવાળાઓ તે બીજીવારના લગ્નને કેવળ ગેરવાજબી જ ગણતા હતા, આસ્તિક મત એવાં લગ્નને જનસ્વભાવમાં રહેલી નિર્બળતાને લીધે વાજબી તો ગણતા હતા છતાં તે પ્રત્યે ના પસંદગી પૂરેપૂરી જણાવતા હતા. મનુષ્યના સ્વભાવમાં રહેલા ભ્રષ્ટ તત્વને અનુસરી એકવાર લગ્ન કર્યું તો ભલે કર્યું; એટલી જ ભ્રષ્ટતા; પણ બીજીવાર લગ્ન કરીને વધારે ભ્રષ્ટ શામાટે થવું ? અર્થાત આ બીજા લગ્નથી એટલું જ સિદ્ધ થાય છે કે એ ભ્રષ્ટતા વધારે ભ્રષ્ટ થઈ છે, કારણ કે લગ્ન જાતે જ ભ્રષ્ટ છે એમ તેઓ માનતા હતા. આ વિષય પરત્વે ખ્રિસ્તિ વૃદ્ધોની ભાષા અત્યારે આપણને બહુ વિચિત્ર લાગે છે, અને પ્રથમ લગ્નની પરવાનગી આપષ્ટ શબ્દોમાં અને પુનઃ પુનઃ કથનથી જે તેમણે આપી છે તે આપી ન હતી તે એમજ લાગત કે લગ્નને તેઓ કેવળ ભ્રષ્ટ જ ગણે છે. દાખલા તરીકે, એક્ષના ગરાસ બીજી વારના લગ્નને “સભ્ય વ્યભિચાર” જ કહેતે હતે. એલેક્ઝાંડિયાના કલેમેટના મત પ્રમાણે, વ્યાભિચાર એટલે એક લગ્ન પછી ઘણાં લગ્ન કરવાં તેજ. સંત જેરામ કહે