________________ 408 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. બહાર તરી આવી અને પિતાને ચીરાઈ ગએલે પિશાક તે સમો કરવા લાગી. આમ મરતી વખતે પણ સ્ત્રીઓ મર્યાદશીલ રહેવાનો પ્રયાસ કરતી. અનેક આકર્ષક સંતકથાઓ પણ ઉભી થવા લાગી હતી, અને તેમાંથી ઘણીખરીમાં છે કે ખરેખરી ઉત્તમતા બહુ જોવામાં આવતી નથી, તથાપિ લેકની લાગણી કેવા જેસથી તે વખતે એ દિશામાં વહેતી હતી તેનું ભાન એથી થઈ આવે છે. વળી ખ્રિસ્તિ ધર્મ મેહના વિકારને કટ્ટો વેરી હતે એ વાત પણ એમાંથી સ્પષ્ટ જણાઈ આવે છે. સંત જેરેમ એક નહિ મનાય એવી વાતનું વર્ણન કરે છે. ડાયોકલશયનના ધર્મ ત્રાસના સમયમાં એક યુવાન ખ્રિસ્તિને રેશમની ફીતથી બાંધી સુંદર બગીચાની વચમાં રાખે. આંખ અને કાનને મેહ ઉપજાવે એવી દરેક વસ્તુ તેની સામે હાવભાવ કરતી ઉભી હતી, પણ તે યુવાને પિતાની જીભ કરડી તે વારાંગના ઉપર એ થુંકવા લાગ્યો અને પિતાનું રક્ષણ કર્યું. ન્યાસાના સંત ગ્રેગરીની બેનનું સ્તન પાક્યું, પણ સરજન તે જુએ એ વિચાર તે સહન કરી શકી નહિ પરંતુ તેની લજજા શીલતાને બદલે તેને મળે, કારણ કે તેને ચમત્કારીક આરામ થઈ ગયે. વાર્તામાં કહેલા સેંદર્યના કટિબંધની સામે ખ્રિસ્તિ સંતો બ્રહ્મચર્યના પિતાના કટિબંધે આગળ ધરતા, અને આ કટિબંધો પહેરતા. પહેરનારને વિકાર શાંત થઈ જતે અથવા શુદ્ધ હોય તે જ પહેરી શકતા. વળી દુરાચારીના ખોળીઆમાં પિશાચ પેઠે હોય છે એમ પણ મનાતું. એક છોકરીને ભૂત આવતું હતું, તેને પિશાક એક સંત પાસે લઈ જતાં તેમાંથી સંતે શેધી કાઢયું કે એ છોકરીને એક પ્રેમી હતે. એક વારાંગનાએ કઈ એક સંત ઉપર એવું તેમત મૂક્યું હતું કે તે એને પ્રેમી હતા અને વચન આપેલા પૈસા એને આપતિ નહે. તેથી તે સતે એણે માગેલા પૈસા એને આપ્યા, પણ તુરત જ તેના શરીરમાં ભૂત પેસી ગયું. વારાંગનાઓને તેમના દુરાચારના માર્ગમાંથી વાળવા સંત પ્રયાસ કરતા અને તેની પણ અનેક કથા કહેવાય છે. સંત મેરી માડેલેન, ઈજીપ્તની સંત મેરી, સંતકા, સંત પેલેજીયા, સંત થેસ, સંત થિયોડેટા ઈત્યાદિ ઘણી સંત સ્ત્રીઓ પ્રથમ વારાંગનાઓ જ હતી. એવું કહેવાય છે કે સંત વિટલિયમ