Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 453
________________ 401 યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. એવા હોય તેથી દૂર રહેવાની શિખામણ આપે છે, પણ તે સિવાય એવી અનીતિ કરવાવાળાને તે ઠપકે આપતા નથી. દુરાચારની સામે કાયદા કરવા એલેકઝાંડર સેવેરસ ઘણે ઉત્સાહી હતા. તથાપિ જ્યારે પ્રાંતના હાકેમની નિમણુંક એ કરતો ત્યારે સાથે ઘોડા અને નેકરે આપતો અને સાથે એક રખાત પણ મોકલતે કે જેથી કરીને વ્યભિચારને ગુને એ ન કરે. રેમન લોકેાની આ બાબતમાં કેવી લાગણી હતી તે આ વાતથી પણ જણાઈ આવે છે. આ લેક લાગણીની વિરૂદ્ધ વિધર્મીઓના લેખમાં ઝાઝું લખેલું જોવામાં આવતું નથી, તથાપિ તેની સામે વલણ થતું આવતું હતું એ વાત પણ લક્ષમાં લેવા જેવી છે. મ્યુસનિયસરૂફસ સ્પષ્ટ રીતે અને ભાર દઈને કહે કે લગ્ન સિવાય એવા અન્ય સંબંધ આદરણીય નથી. ડાયન ક્રિઓસટમ કહે કે વેશ્યાના ધંધાને કાયદાથી દાબી દેવો જોઈએ. ખુદ લગ્નમાં પણ કાંઈક પાપ છે એવા તપોવૃત્તિના વિચારની પણ સહેજસાજ ઝાંખી થતી હતી. તેથી ટયાનાને એપલેનિયસ કુંવારી જીંદગી ગુજારતો હતો. વારસ ઉપજાવવાની આવશ્યકતા ઉપરાંત પિતાના સ્વામીની સાથે રહેવાની ઝેનેબિયા ના પાડતી. ઘણા ખ્રિસ્તિ સતેની માફક હિશિયા પણ પરણેલી છતાં પિતાનું બ્રહ્મચર્ય સાચવી રહી હતી એમ કહેવાય છે. દેહના વિકારને વશ નહિ થતાં શરીરની વિશુદ્ધ સાચવી રાખવાની ફરજ છે એવી માન્યતા ત્રીજા સૈકામાં ઘણી પ્રબળતા પામી હતી. મારકસ ઓરેલિયસ અને લિયન બને આ બાબતના ઉત્તમ દષ્ટાંત હતાં. દરેકની સ્ત્રી ગુજરી જતાં દરેકે પિતાનો આ સદાચાર બહુ સરસ રીતે સાચવી રાખ્યો હતો. પરંતુ દરેકના આ સદાચારના સ્વરૂપમાં મેટ ફેર હતે. ઘરમાં છોકરાઓને સાવકી મા ન લાવવી એવા ઇરાદાથી મારકસ ઓરેલિયસ ફરી પર નહિ પણ એણે રખાત રાખી. જ્યુલિયને સંપૂર્ણ વિશુદ્ધિ સાચવી રાખી હતી. ઉપરની હકીકતથી રોમન લેકાના નીતિ-વિચાર અને તેમનું વલણ જણાઈ આવે છે. નૈતિક ભાવનાને બરાબર તારીખવાર ઈતિહાસ આપવો અશક્ય છે. પરંતુ રોમન સામ્રાજ્યના પાછલા સમયમાં નૈતિક પત્ય અગાઉ

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492