________________ સ્ત્રીઓની પદવી. , - 40 પાડોશના દુરાચારના અખાડામાં રોજ રાત્રીએ જતે; તે રાત્રીએ દુરાચારમાંથી મુક્ત રહેવા તેમને એ પૈસા આપતે, અને તેઓ સુધરે એવી પ્રભુને પ્રાર્થના કરતે. એવું કહેવાય છે કે સંત સિરેવિયન એક વખત મિસરના ગામડામાંથી જતો હતો તેવામાં એક વારાંગનાએ તેને ઈસાર કરી બોલાવ્યો. સંત ત્યાં અમુક વખતે ગમે, પણ જતાં વેંત ઘૂંટણીએ પડી તે તે પ્રાર્થના કરવા લાગ્યો અને “ઈશ્વર તે વારાંગનાને એવા દુરાચારમાંથી બચાવે” એવા ઉદ્દગાર અંતઃકરણમાંથી કાઢવા લાગે. પેલી તે એ બધું જોઈ જ રહી અને ઉભી જ થઈ રહી. એમ કરતાં સવાર પડવા આવી. પણ વેશ્યા અંતે બદલાઈ સાધ્વી થઈ ગઈ; અને ડુસકાં ખાતી ખાતી પિતાના પાપનું પ્રાયશ્ચિત કરે એવા કોઈ પણ સ્થળે એને લઈ જવાનું સંતને એ કહેવા લાગી. બ્રહ્મચર્યનું પાલન ઘણું અગત્યનું છે એ વાત મનુષ્યનાં મન ઉપર કસાવવાના સંતોના આગ્રહથી સમાજની સેવા ઘણી થઈ છે, પણ સાથે એક બીજું મોટું નુકસાન પણ એમણે સમાજને કર્યું છે. જન્મવું અને મરવું એ માણસને માથે કુદરતી કાયદો છે અને તે અનિવાર્ય છે. વનસ્પતિસૃષ્ટિમાં પણ એ કાયદો પ્રવર્તમાન છે. અને લગ્નમાં ભ્રષ્ટાચાર સમજી કોઈ લગ્ન ન કરે તે દુનિયાને અંત થડા જ કાળમાં આવી જાય. તપવૃત્તિ લગ્નને આદમના પતનનું પરિણામ જ લેખે છે, અને તેથી લગ્ન સંસ્થાની તે હલકામાં હલકી ગણના કરે છે, કામળ પ્રેમ તેમાંથી ઉપજ આવે છે, પવિત્ર અને સુંદર કૌટુંબિક ગુણે તેને પગલે પગલે ચાલ્યા આવે છે, આ બધી વાતોની ગણના લગભગ તે કરતી જ નથી. તપધારીને ઉદ્દેશ લોકેને કુંવારી જીદગી પ્રત્યે આકર્ષવાને હતા, અને તેનું આવશ્યક પરિણામ એ આવ્યું કે લગ્નાવસ્થાને લેકે હલકી ગણવા લાગ્યા. પ્રજાની ઉત્પત્તિ માટે તેની જરૂર છે અને તેથી તે આવશ્યક છે અને વળી તેથી માણસો મોટા દોષ કરતાં અટકે છે એ બધી વાતને સ્વીકાર હ; છતાં તે અવસ્થા આખરે હલકી તે ખરી જે એવી માન્યતા હતી. તેથી ગૃહસ્થાશ્રમ પ્રત્યે નો અભાવ ઉપજાવવાનું તેમાં વલણ છે. જેણે ખરેખરી