________________ 404 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પરંતુ નીતિશાસ્ત્રવેત્તાઓએ કેટલાંક અગત્યનાં પગલાં આગળ ભયો હતાં. પ્રાથમિક સમયમાં એમ મનાતું હતું કે પિતાના સ્વામીને વફાદાર રહેવાની સ્ત્રીની ફરજ છે, પણ પુરૂષને તે બંધન નથી અથત વ્યભિચારનો ગુને સ્ત્રીઓને જ શક્ય છે, પુરૂષને નહિ. પરંતુ હવે, વિશેષ નહિ તે સિદ્ધાંતમાં તે એમ મનાવા લાગ્યું હતું કે પિતા પ્રત્યે પતિની વફાદારી માગવાને સ્ત્રીને પણ હક છે. પુરૂષને અત્યંત છૂટ હોવાથી ગ્રીક લેકેમાં વખતે સ્ત્રીઓની લાગણીઓ અત્યંત ઉશ્કેરાઈ જતી હતી એ વાત મીડીઆ વિગેરેની કથાથી જણાય છે. પરંતુ એન્ડમાકીને માટે એમ કહેવાય છે કે પિતાના સ્વામી પ્રત્યે પોતાને પ્રેમ ઘણે ઉચે છે એમ દર્શાવવા હેકટરના અનૌરસ બાળકની સંભાળ કેમ જાણે એ પિતાનાં સંતાન હોય તેમ એ લેતી હતી. રેમના પ્રાથમિક સમયમાં પણ પતિઓને માથે એ બધા સાવ ન હોય એમ નથી જણાતું, પણ એ બંધન કવચિત જ અમલમાં આવતું અને સ્ત્રીઓને માથે મૂકેલા બંધન જેવું તો એ નહોતું જ. સ્ત્રીઓના દેવ પ્રત્યે જ વ્યભિચાર શબ્દનો અર્થ અને તેની સજા લાગુ પાડવામાં આવતાં. રેમની ત્રિીઓ પતિની આ બાબતમાં ગેરવર્તણુક પ્રત્યે બહુ ઉદાર બુદ્ધિથી વરતતી હતી. સિપિઓની વફાદાર પત્ની રશિયા ઈમિલિયાને દાખલ હૃદય-ભેદક છે. પિતાને પતિ સિપિયો પિતાની એક ગુલામડીથી મોહિત થયો છે એ વાતની એને ખબર પડી, પણ આ દુ:ખ પોતાના મનમાં જ સમજી એણે સહન કરી લીધું પરંતુ જ્યારે સિપિ મરી ગયો ત્યારે એ ગુલામડીને એણે સ્વતંત્ર કરી, કારણ કે જે સ્ત્રી ઉપર પિતાના સ્વામીનો પ્રેમ હતો તે ગુલામગીરીમાં રહે એ વાત તેનાંથી સહન થઈ શકી નહિ. પિતા પ્રત્યે પત્નીની વફાદારીની જેવી આશા પતિએ રાખે છે તેવી જ વફાદારી પિતે પણ પત્નીઓ પ્રત્યે રાખવાની પતિઓની ફરજ છે એમ એરિસ્ટોટલ સ્પષ્ટ કહેતે, અને પાછળથી લુટાર્ડ અને સેનિકા બને પ્રબલ અને સ્પષ્ટ શબ્દોમાં એ ફરજ પાળવાનું કહેતા હતા. તેમના જીવનમાં આ સિદ્ધાંતને સ્વીકાર કેટલે અંશે થયો હતો તે અસ્પિયનના કાયદામાં એક સુત્ર તરીકે તેના સ્વીકારથી જણાઈ આવે છે. જે પતિ વફાદાર ન ય .