________________ 382 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. આવી પચાસ હજાર સ્ત્રીઓ છે અને તે બતાવી આપે છે કે સુઘડ સમાજ ને દેખીતી સુંદર સપાટીની તળે આ પાપ કેવા ભયંકર સ્વરૂપમાં રહેલું હોય છે. તેથી અનેક પ્રકારના રોગ લેકામાં પ્રસરે છે અને વારસામાં પણુ ઉતરે છે, અને તેથી લેકેની દુર્દશા થાય છે. પતિવ્રત્ય-ભંગના દોષ ઉપર ઈગ્લાંડને સાર્વજનિક અભિપ્રાય જે સખ્ત દૃષ્ટિ દાખવે છે તેથી વેશ્યાની સંખ્યા વધતી અટકતી નથી અને તેથી દુર્દશા ઘટવાને બદલે વધે છે. જે કાર્યને માટે યુરોપના અન્ય પ્રદેશમાં સહેજસાજ હાહાની લાગણું ઉપજે છે તે જ કાર્ય ઈંગ્લાંડમાં મોટા ભાગ ઉપર અત્યંત ઝેરી લાગણી ઉપજાવે છે. જે કાર્યો સ્વભાવિક રીતે નૈતિક વૃત્તિઓની છેક નષ્ટતા સૂચવતાં કે ઉપજાવતાં નથી અને અન્ય દેશોમાં જે કાર્યોની પાછળ ઘણી વખત સુખી, સદાચારી અને પ્રેમી જીંદગી માણસો પસાર કરે છે તે કાર્યોથી ઈગ્લાંડમાં ઘણે ભાગે ઘેર સત્યાનાશ જ વળી જાય છે. બાળહત્યા બહુ વધી પડી છે અને એક વખતના દોષથી જેની આબરૂ અને છંદગી બરબાદ થઈ જાય છે એવી સ્ત્રીઓને માટે ભાગ વેશ્યાના ધંધામાં પડે છે. સાર્વજનિક અભિપ્રાય અને ધારાશાસ્ત્રીઓની નિષ્કાળજીનું આ પરિણામ છે. વળી દુર્દશાના ખાડામાં અંદગીપર્યત ગરકાવ થએલી સ્ત્રીઓના આ સમૂહને મોટા ભાગ સ્વભાવે કદી સુધરી જ શકે નહિ. એવો પણ નથી હતો. સ્ત્રીઓનું પતન જેમ દુષ્ટ વાસનાને લીધે થાય છે તેમ ઘણીવાર તે પતિની લાગણીઓની પ્રબળતાને લીધે કે બુદ્ધિની ચંચળતાને લીધે પણ થાય છે. તેમની અત્યંત ભ્રષ્ટ દશામાં પણ નિષ્પક્ષ અલેકન કરનારને ઉંચા પ્રકારની લાગણીઓના અવશેષ માલમ પડયા છે, અને જે તેમને અન્ય નૈતિક સંજોગ અને કેળવણી મળ્યાં હેત તો અવશ્ય આ અવશેષ ખીલી નીકળ્યા વિના રહેતી નહિ. વેશ્યાવૃત્તિના ગણનાત્મક કષ્ટ કેથી જણાય છે કે પતિત થએલી સ્ત્રીઓના મોટા ભાગના પતનનું કારણ તેમની ગરીબ અવસ્થા હતી, અને ઘણું દાખલામાં તે ભૂખમરાની અવસ્થામાં તેઓ હતી. આ પ્રમાણે કુટુંબ જીવનમાં સ્ત્રીની પવિત્રતા જાળવવા કામવિકારને