________________ યૂરોપીય પ્રજાની આચરણને ઇતિહાસ, અને તેનાં કારણે અમે આગળ કહ્યાં છે. તેથી કરીને રેમનું ધાર્મિક કૌટુંબિક, સામાજીક અને રાજકીય જીવન એકજ ફરી ગયું હતું. તત્વજ્ઞાનમાં સંશયાત્યવાદ પ્રાચીન ધર્મોને ફેલી ખાઈ ગયો. સખ્ત સાદાઈની પ્રાચીન કે પર્વાત્ય મોજશોખ અને પૌત્ય આચરણમાં ડુબી ગરકાવ થઈ ગઈ. પ્રજા વિગ્રહ અને મહારાજ્યને લીધે લેકનાં ચારિત્ર્ય ભ્રષ્ટ થઈ ગયાં; અને પ્રજાકીય સમયની રીતભાતના અતિશયોક્તિ ભરેલા વિનય વિવેકથી લેકે દુરાચાર પ્રતિ વધારે જેસથી ખેંચાવા લાગ્યા. આ ભ્રષ્ટતાના નિરંકુશ અને લગભગ ઉન્મત્ત સમયમાં સ્ત્રીઓની ભ્રષ્ટતા પણ વધી ગઈ હતી. ગુલામોની સંખ્યા ઘણું મેટી થઈ પડી હતી, અને આ વાત દરેક જમાનામાં નૈતિક વિશુદ્ધિની ખાસ ઘાતક નીવડેલી છે. વળી આ ગુલામો મહારાજ્યના અત્યંત વિલાસી પ્રાંતમાંથી પસંદ કરવામાં આવતા હતા. કલ્પનાને ઉશ્કેરી મૂકે એવી રમત ગમતમાં સ્ત્રીઓ નિર્લજ બની ભાગ લેતી હતી. ગ્રીસ અને એશિયાની વારાંગનાઓ રોમમાં આવવા લાગી હતી. બિભત્સ ચિત્રો ઘરેઘરમાં જોવામાં આવતાં અને વિલાસવૃત્તિ નિરંકુશ બની નિર્લજતાથી બધે ઘુમતી હતી. મેટા ઘરની સ્ત્રીઓ વેશ્યાઓ થતી હતી, અને આ ભ્રષ્ટતા અટકાવવા ટાઇબિરિયસના સમયમાં કાયદો કરવાની પણ જરૂર પડી હતી, જેથી મોટા ઘરની સ્ત્રીઓ વેશ્યા તરીકે પિતાનું નામ નેંધાવવાને અશક્ત ગણાતી હતી. વળી રોમન સ્વભાવની અત્યંત જાડયતાને લીધે આવી વિલાસવૃત્તિઓ રસજ્ઞતાનું સ્વરૂપ ગ્રીસમાં પકડયું હતું તે રેમમાં પકડી શકયું નહિ; તેથી એ વૃત્તિ જ્યારે ગ્રીસમાં કળાની ઉત્પાદક બની હતી ત્યારે રોમમાં તેની અસરમાં ઘણુ ગંભીર ફેરફાર થઈ ગયા; ઉલટું, તરવારના પ્રાણઘાતક ખેલના શેખને લઈને ઘણી વખત તે કાંઈક કૂરતાની સાથે જોડાવા લાગી. ઈતિહાસમાં એવા ઘણું કાળ આવ્યા છે કે જે વખતે સીઝરના સમય કરતાં સદાચાર ઘણો ઓછો હોય; પરંતુ તે સમયના જે અમર્યાદ અને નિરંકુશ દુરાચાર ઘણું કરીને કોઈ કાળે દેખાયો નથી. વિશેષ કરીને યુવાન મહારાજાઓ કે જેમની આસપાસ ખુશામતીઆ અને ભડવાનાં ટોળેટોળાં વીંટળાઇ વળતાં અને જેમને ઘણું કરીને પિતાનું ખુન થઈ જવાની નિર