________________ 394 પૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ---- -------- હતી, અને કેટલીક વખતે તે થઈ ગએલા લગ્નને ફોક કરવાની પણ તેને સત્તા હતી. પરંતુ લગ્નના જે પ્રકાર રેમના પ્રાથમિક સમયમાં સામાન્ય રીતે પ્રચલિત હતા તેને અનુસાર સ્ત્રીના ઉપરની કુલ સત્તા તેના ધણીના હાથમાં જતી, અને કેટલાક પ્રસંગે પિતાની સ્ત્રીને મારી નાંખવાને પણ તેને હક ગણો હતો. સ્ત્રીઓને પિતાની વિશુદ્ધિ સખ્ત રીતે જાળવતી બનાવવામાં કાયદા અને લેકમત બન્નેની અસર એકત્ર થતી હતી. એવું કહેવાય છે કે પાંચસે અને વીશ વર્ષ પર્યત રેમમાં છૂટાછેડાને એક પણ દખલે બન્યો નહતો. લેકેને આચાર એવો તે સભ્ય હતા કે એક રાજ સભાસદે પોતાની દીકરીની હાજરીમાં પિતાની પત્નીને આલિંગન આપ્યું તેને માટે તેને બહુ નિંદવામાં આવ્યો હતો. પિતાનાં બાળકેને માતાએ જ ધવરાવવાની રીય સ્ત્રીઓની ફરજ ગણાતી હતી, તેથી જે કેઈ સ્ત્રી પોતાનાં બાળકને ધવરાવવા ધાવ રાખે તે તે બહુ નામથી ભરેલું ગણાતું હતું. કૌટુંબિક કરકસરની નાની નાની બાબતોનું પણ નિયમન સખત કાયદાથી થતું હતું. વારાંગનાની સંખ્યા જો કે ઘણું કરીને ઘણી હતી અને તે વર્ગ નિરંકુશ હતાતથાપિ તે વર્ગ પ્રત્યે લોકોને ધિક્કાર ઘણે હતે. પોતે તે વર્ગની છે એવા જાહેર સ્વીકારમાં જ તેને પૂરતી શિક્ષા થાય છે એવી માન્યતા હતી; અને જ્યને કે જે લગ્નની અધિષ્ઠાત્રી દેવી ગણાતી તેની યજ્ઞવેદીને સ્પર્શ કરવાની તેમને પરવાનગી નહતી. એક રેમને હાકેમ ઉપર કોઈએ હુમલો કર્યો, પણ તેની ફરિયાદ થતાં તેને દાદ કાંઈ મળી નહિ, કારણ કે જે ઘરમાં હુમલે થયો હતો તે બદનામવાળું હતું અને એવા ઘરમાં રોમના હાકેમે જવું નામશી ભરેલું ગણાતું હતું. સ્ત્રીની પવિત્રતાની સાક્ષી આખી કુદરત પૂરે છે એમ મનાતું. ક્રૂર જંગલી પ્રાણીઓ પણ કુમારિકા સમક્ષ શાંત થઈ જતાં. એવું કહેવાતું કે ડૂબી ગએલા પુરૂષની પીઠ તરતી રહે છે અને ડૂબી ગએલી સ્ત્રીનું મુખ તરતું રહે છે; કારણ કે પુરૂષો કરતાં સ્ત્રીઓની વિશુદ્ધિ વધારે ઉંચી હોય છે; એ ખુલાશે રેમના વિજ્ઞાનશાસ્ત્રીઓ આપતા હતા. એરિસ્ટોટલે કહેતો કે બીજી પ્રજાઓની માફક ગ્રીક લેકે પોતાની