________________ સ્ત્રીઓની પદવી. . 397 તર ધાસ્તી રહેતી તેઓ અનેક જાતના અનિયમિત મોજ વિલાસમાં આંખે મીચીને ઓરાવા લાગ્યા. અર્વાચીન સમાજ અને અર્વાચીન લેખકે બીભત્સ વાત આવતાં જે ચૂપકી પકડી જાય છે તે એ વખતે કેવળ અજાણ હતી, અને તેથી તે સમયના લેખકોના લેખમાં પણ જમાનાને પવન સ્પષ્ટ જણાઈ આવે છે. અર્થાત આચાર, વિચાર અને વાણીમાં મર્યાદાને છાંટ પણ રહ્યો ન હતે. - વળી, કાંઈક દુરાચારી કારણને લીધે અને કાંઈક સાર્વજનિક સંસ્થા એ જે પ્રતિકુળ અસર કુટુંબ જીવન ઉપર ઉપજાવતી હતી તેને લીધે, લોકેની રૂચિ લગ્ન ઉપરથી ઉઠી જવા લાગી હતી અને તેથી પુરૂષ કુંવારા રહેવા લાગ્યા હતા. આ અરૂચિની સામે કાયદા કરી કુંવારાપણું અટકાવવા એંગસ્ટર્સ વ્યર્થ યત્ન કર્યો હતે. ભ્રષ્ટતાના આ ઘધની વચ્ચે રોમન સ્ત્રીઓની કાયદેસર સ્થિતિમાં મોટે ફેરફાર થતું આવતું હતું. પ્રથમ તેઓ પિતાના સગાંના કેવળ કબજામાં કે તાબેદારીની સ્થિતિમાં રહેતી હતી, તેથી તેઓ કેવળ પરતંત્ર બની જતી હતી. સામ્રાજ્ય સમયમાં સ્વતંત્રતા અને ગૌરવની કાંઈક પદવી તેમને પ્રાપ્ત થઈ; પણ પાછળથી આ પદવી તેઓ ખોઈ બેઠી અને પછી એ પદવી સાવ પુનઃ પ્રાપ્ત તેમને થઈ નહિ. રોમન લેકે લગ્નના બે વર્ગ સ્વીકારતા હતા. એક પ્રકાર સખત હતું, પણ કાયદાની નજરમાં તે વધારે માનવ ગણાતે હતો. આ પ્રકારમાં, સ્ત્રી સ્વામીના હાથમાં સંપાતી, અને તેને લીધે સ્ત્રીના પંડ અને મિલ્કત ઉપર સંપૂર્ણ સ્વામીત્વ પતિને પ્રાપ્ત થતું. બીજો પ્રકાર છે સખત હતા અને તેને લીધે સ્ત્રીની પિતાની પદવીમાં કાયદા પ્રમાણે કાંઈ તફાવત થતો નહિ. પ્રથમ પ્રકારનાં લગ્ન ઘણું કરીને પ્રજાતંત્રના સમયમાં થતાં હતાં અને તે ત્રણ જાતનાં હતાં. પ્રથમ જાતનાં લગ્નમાં, લગ્ન થતી વખતે તેમજ તે કેક કરતી વખતે દબદબા ભરેલી ધાર્મિક ક્રિયાઓ કરવી પડતી હતી. આ પ્રકાર ખાસ કરીને અમીર વર્ગમાં જ પ્રચલિત હતું. બીજે