________________ સ્ત્રીઓની પદવી. 395 સ્ત્રીઓને ગુલામ ગણતા નહિ, પણ જીદગીના સાથી અને સેબતીઓ તેમને ગણું તેમની સાથે તે પ્રમાણે વરતતા; અને તેથી બીજી ઘણી બાબતની પિડે આમાં પણ ગ્રીક લેકે જંગલી પ્રજાઓથી ચડી જતા હતા. પરંતુ ગ્રીક લેકે કરતા પણ રોમન લેકે સુધારામાં ચડી જાય છે એ વાત સ્ત્રીઓ પ્રત્યે જે વર્તણુક રેમના લેકે રાખતા હતા તેથી જણાઈ આવે છે. મને એક લેખક કહે છે કે ગ્રીક લેકે પિતાની સ્ત્રીઓને ઘરની અંદર એક ઇલાયદા ભાગમાં રાખતા હતા, અને પિતાનાં સગાં સિવાય અન્યની સાથે ખાણા ઉપર તેમને બેસવા દેવામાં આવતી નહોતી અથવા કેઈ સગાંની ગેરહાજરી સિવાય અન્ય પુરૂષને મળવાની છૂટ તેમને મળતી નહોતી, પણ રમવાસી જમણવારમાં પિતાની સાથે પિતાની સ્ત્રીને લઈ જવાની, અથવા તે કુટુંબની માતાને ખાણામાં અગ્રસ્થાન આપવાની આનાકાની કદિ કરતો નહિ. અગાઉના વખતમાં જ્યારે સ્ત્રીઓ પતિની સત્તાને કેવળ આધીન હતી ત્યારે ઘરમાં તેમના ઉપર ઘણે જુલમ થત હત કે કેમ ? એ સંબધી ચેકસ રીતે અત્યારે આપણે કહી શકીએ એમ નથી. વિરિપ્લેકા નામની દેવી કે જેનું કામ પતિઓને શાંત કરવાનું હતું તે દેવીને રેમની સ્ત્રીઓ પેલેટાઇનના એક મંદિરમાં પૂજતી હતી, અને પ્રજાતંત્રના સમયમાં પિતાના ધણીઓને ઝેર દઈ મારી નાખવાનું એક જબરું કાવત્રુ રચાયું હતું અને તે છતું થયાની વાત લિવિ વર્ણવે છે પણ એ વાત અસંભવિત લાગે છે; અને એકંદરે રોમન માતાની પદવી માનવંતી ગણતી હોય એ સંભવિત લાગે છે, અને માનુષી કર્તવ્ય કરવા માટે પરણેતર જીદગી અંદગી પયેતની એક બીજાની સોબતી છે એવી લગ્નની જે વ્યાખ્યા કાયદામાં અપાઈ હતી તે વ્યાખ્યા આ બાબતમાં તે વખતના લેકોના વિચારને યથાસ્થિત આલેખે છે; અને દરેક જમાનામાં સ્ત્રીઓના સદાચારને રેમના જીવન ચરિતોમાં બહુ ઉંચું સ્થાન અપાતું હતું. - રોમની જે નીતિભ્રષ્ટતાથી તેના પ્રજાતંત્રની પડતીનું મોટે ભાગે કારણ થયું હતું અને સીઝરના સમયમાં શિરોબિંદુએ પહોંચી હતી તે છેક અધમ નીતિભ્રષ્ટતા મની પ્રજામાં મ્યુનિક વિગ્રહો પછી તુરત જ આવી હતી