________________ 392 યુરોપિય પ્રજાના આચરણને ઇતિહાસ. ઉઘાડે છોગે લેકે તેમની સાથે સંબંધ રાખવા લાગ્યા. આમ વારાંગનાને વર્ગ સમાજમાં ખાસ સ્થાન ભોગવવા લાગ્યો હતે. હવે રોમના સુધારા પ્રત્યે જે આપણે દૃષ્ટિ કરીએ તે છીએ તે આપણને માલમ પડે છે કે સ્ત્રીઓની સ્થિતિમાં કેટલાંક અગત્યનાં પગલાં આગળ ભરાયાં હતાં. પતિવ્રત્યના સદાચાર પ્રત્યે બે ભિન્ન ભિન્ન દૃષ્ટિથી જોઈ શકાય છે એ આગળ અમે કહ્યું છે. જ્યાં ધર્મભાવના કરતાં રાજકીય જુસ્સો વધારે પ્રબળ હોય છે એવા દેશમાં ઘણું કરીને જનહિતવાદ જોર પકડે છે, અને ત્યાં ગૃહસ્થામમ ઘણું માનનીય અવસ્થા ગણાય છે. તેથી કરીને ગૃહસ્થાશ્રમમાં સુખ, પવિત્રતા અને નિર્ભયતા વધારવાં એજ તેમના સઘળા આદેશને મુખ્ય ઉદેશ હોય છે. પરંતુ અલખ (mystical) મત કે જેનો આધાર શરમની સ્વાભાવિક લાગણી ઉપર હોય છે અને ઈતિહાસ સાબીત કરી આપે છે તેમ જે મત જ્યાં રાજકીય ભાવના ઘણી ઓછી હોય છે અને ધાર્મિક ભાવના ઘણી પ્રબળ હોય છે ત્યાં વિશેષ કરીને ખાસ પ્રબળતા પામે છે, તે મત કુંવારાપણામાં સદાચારની સર્વોત્તમતા લેખે છે અને પરણેતર જીદગીને ઉચ્ચ પવિત્રતામાંથી થએલું ક્ષમ્ય પતન ગણે છે. અને રેમની ધર્મસંસ્થામાં એક ઘણુ લક્ષ ખેંચનારી વાત આપણને માલમ પડે છે તે એ છે કે આ બંને વિચારને સૂચવતા તેમનામાં દેવના બે પૂજારી વર્ગો હતા. જ્યાપટરના પૂજારીઓ અને વેસ્ટા નામની દેવીની પૂજારણે. આ બન્ને વર્ગોની સેવા રાજ્યને ઘણી અગત્યની અને ઉપયોગી ગણાતી હતી. દરેકને અમલ રોમ શહેરમાં ઉજવાત. દરેકની નિમણુંક અત્યંત દબદબા ભરેલી ક્રિયાથી થતી હતી. દરેકને ઘણું ગંભીર માન અપાતું હતું. પણ એક અગત્યને ભેદ તે બેમાં હતું. પૂજારણ કુંવારી રહેતી હતી, સખત બ્રહ્મચર્ય પાળતી, અને તેમાં ચૂક કરતી તે અત્યંત ભયંકર સજા તેને થતી. પૂજારીને પરણવું ફરજીઆત હતું અને પિતાની પરણેત છંદગીમાં અત્યંત વિશુદ્ધ અને પવિત્ર એને રહેવું પડતું હતું. તેનું લગ્ન અત્યંત ગંભીર ક્રિયાઓથી ઉજવવામાં આવતું. અને માત્ર મૃત્યુથી જ એ લગ્ન કેક થતું ગણતું હતું. જે એની સ્ત્રી મરી જતી,