________________ 383 સ્ત્રીઓની પદવી. કેવી અને કેટલી છૂટ આપવી એ પ્રશ્નનું નિરાકરણ કરવાનું કામ નીતિશાસ્ત્રવેત્તાને કરવું પડે છે, અને તેથી વેશ્યાવૃત્તિના વિષયને એમ ગણો પડે છે. પરંતુ તે સંબંધમાં મતભેદ છે. ખરાબ તે એને સૌ ગણે છે જ; પરંતુ સમાજના અંગો તરીકે તેવી સ્ત્રીઓ પ્રત્યે સમાજે કેવું આચરણ રાખવું જોઈએ તે સંબંધી મતભેદ આપણે ઉપર કાંઈક જોયો. આ મતભેદનું વિવેચન કે નિરાકરણ કરવાનું આપણું અત્ર પ્રોજન નથી. પણ તેમાં ગંભીર પ્રશ્ન સમાએલે છે એટલું સ્પષ્ટ થાય તો તે બસ છે. ઉપલા પ્રશ્નનું નિરાકરણ કરવા ગ્રીક નીતિવેત્તાઓ અને ધારા શાસ્ત્રીએ સ્ત્રીઓના બે વર્ગ ઘણી ખુશીથી સ્વીકારી લીધા હતા-પત્ની અને ખાત-પત્નીનું ભૂષણ પાતિવ્રત્ય ગણાતું અને રખાતનું ભ્રમર વૃત્તિમાં દોષ ગણતે નહિ. ગ્રીક-પત્નીઓ કેવળ એકાંત વાસમાં જ લગભગ રહેતી હતી, ઘણી નાની ઉમરે ઘણું કરીને તેમને પરણાવવામાં આવતી હતી. વણવું કાંતવું, ભરત ભરવું, ઘર કામકાજની દેખરેખ રાખવી, કે તેમના માંદા ગુલામોની સંભાળ લેવી, એ તેમની પ્રવૃત્તિ રહેતી. ઘરના ખાસ અને ઈલાયદા ભાગમાં તેઓ રહેતી હતી. વધારે તાલેવત સ્ત્રીઓ ક્વચિત જ બહાર નીકળતી હતી, અને નીકળતી તે સ્ત્રી ગુલામને સાથે રાખ્યા વિના નીકળતી નહિ. સાર્વજનિક તમાશા જેવા તે કદિ જતી નહિ; પોતાના સ્વામીની હાજરી સિવાય કોઈ પુરૂષની મુલાકાત લેતી નહિ, અને પુરૂષો મહેમાન હોય ત્યારે ઘરના ખાણામાં પણ તેમની સાથે ભાગ લેતી નહિ. તેમને મેટામાં મોટો સદાચાર પિતાના પતિ પ્રત્યે વફાદાર રહેવાને હતા, અને તે બરાબર અને મોટે ભાગે પળાતે હોય એ સંભવિત છે. અન્ય સ્થળે મેજ મેળવવાની પુરૂષને અપાતી સ્ટ, ગૃહસ્થની સ્ત્રીને કઈ છળવાને યત્ન કરે તે તેની વિરૂદ્ધ પ્રદર્શિત થતા સખત લેક અભિપ્રાય, અને લાભ લાલચને વશ નહિ થવાની સ્ત્રીઓની ટેવ, ઈત્યાદિ કારણોને લીધે તેમને સદાચાર બહુ સારી રીતે જળવાઈ રહેતું હતું. બીજી રીતે જોતાં, પિતાની સ્ત્રી ગુલામની જ સબતમાં લગભગ નિરંતર રહેવાને લીધે, પુરૂષોના સમાગમમાં આવવાથી જે કેળવણી મળે છે તે કેળવણીની તેઓ નિભાંગી રહે