________________ - સ્ત્રીઓની પદવી. , 381 ખરા ખ્રિસ્તિ દેશમાં ઘણે સખત અભિપ્રાય પ્રચલિત છે. અંગ્સ સેશન પ્રજાઓના ઉત્તમ અને મધ્યમ વર્ગોમાં તે આ એક દોષ થયો કે તે સ્ત્રીને માથે કાયમનું કલંક લાગી બેસે છે, અને પછી તે સ્ત્રી ગમે તેવી સદાચારી રહે અને પશ્ચાતાપ કરે પણ કોઈ કાળે એ કલંક તદન ભુંસાઈ જતું નથી. પથમ તે આવું સખત ઘેરણું ઘણું કરીને ધાર્મિક લાગણીને લીધે રહેતું હોય છે, પણ તેમાં સમાજના લાભ સમાએલા છે એમ કહી પ્રબળ દલીલે પણ ઘણીવાર તેના બચાવમાં અપાયેલી છે. કેટલાક કહે છે કે કૌટુંબિક વિશુદ્ધિનું સંરક્ષણ એ એવી અતિ અગત્યની બાબત છે કે તેને અર્થે જે કાર્યનું સ્વરૂપ કપનામાં ઘણી સહેલાઈથી ઉતરી શકે છે અને જે કાર્ય કાયદાના સ્વાધીનમાં કદિ પણ બરાબર આવી શકે તેમ નથી અને વિકારની અત્યંત પ્રબળતાએ કરીને જેમાં મનુષ્યની પ્રવૃત્તિ કદી થઈ જાય, તેવા કાર્યને અત્યંત સખત શિક્ષા થવી વાજબી છે. વળી આવા સખત દંડને લીધે વિષયી વિકારના સઘળા પુરાવાને અપ્રસિદ્ધિમાં રહેવું પડે છે; તેથી તેમના વ્યાપારને ઓછા કરવાની ખાસ યોગ્યતા તેમાં રહેલી હોય છે, કારણ કે બીજા વિકારો કરતાં આ વિકારોને આધાર કલ્પના ઉપર વધારે હોય છે, અને કલ્પના પાપના દર્શનથી વધારે વહેલી સચેત થાય છે. વળી દુરાચાર ઉપર કલંકની તીવ્ર દૃષ્ટિથી જોતાં પ્રમાણમાં તેની સામેના સદાચાર પ્રત્યે લેકેનું લક્ષ વધારે ખેંચાય છે, અને સ્ત્રી-વર્ગમાં અત્યંત સુઘડ અને શિકમંદ આબરૂની લા ગણી બંધાઈ જાય છે, જેથી કરીને પાપમાં પ્રવૃત્ત થતાં તેઓ અટકે છે એટલું જ નહિ પણ તેમનું ચારિત્ર્ય પણ તેથી ઉન્નત બને છે. આ દલીલેની વિરૂદ્ધ કેટલાક વજનદાર વિચારેની દલીલ પણ અપાય છે. તેથી કેટલાક એમ કહે છે કે દુરાચારના આ પ્રકાર ઉપર ગમે તે ઢાંકપીછોડે સમાજ કરે, તથાપિ તેનું અસ્તિત્વ તે રહે છે અને તે પણ બહુ મોટા પાયા ઉપર; અને જ્યારે આ પાપ અપ્રસિદ્ધિમાં વીંટાએલું અને અજ્ઞાનતાના દાંભિક દેખાવથી ઢંકાએલું રહે છે ત્યારે જેવું જડમૂળ ઘાલી બેઠેલું અને ભ્રષ્ટ એ હોય છે તેવું એ કવચિત્ જ હોય છે. ઈંગ્લાંડમાં