________________ સ્ત્રીઓની પદવી. આ નૈતિક વૃત્તિ સમજવાને માટે આપણે લજજાળ પણ અગત્યની બાબતમાં ઉતરવું પડશે. મનુષ્યના સ્વભાવનું મૂળ પાપ વિષયવાસના છે, એમ ખ્રિસ્તિ વૃદ્ધો ભાર દઈને વારંવાર કહેતા હતા. જ્ઞાનની પ્રગતિ પમય જીવનની ઘણું કરીને વિરેધી હોય છે, છતાં તે પણ આ ધાર્મિક અભિપ્રાય સાથે એક મત થાય છે કે આ વિકારનું કુદરતી બળ મનુષ્યના કલ્યાણને અર્થે જેટલું જોઈએ, તેના કરતાં ઘણું વધારે હોય છે. માથુસના લેખોથી સિદ્ધ થયું છે-જે વાતની ગ્રીક નીતિવેત્તાઓને ઘણું મટે અંશે માહિતી હોય એમ જણાય છે કે ધોરણસર લગ્નના અને સંયમવતી સંચારથી પણ, જે બધા લગ્ન કરવા માંડે તે, વસ્તી ઘણું વધી પડે છે અને તે વૃદ્ધિ મનુષ્યની આબાદીમાં આડે આવી અનેક આફતનું કારણ થઈ પડે છે. અને જ્યારે જેમ બને તેમ લગ્ન વહેલાં કરવાનો આગ્રહ સ્પષ્ટ રીતે કુદરત મનુષ્ય જાત કરતી જણાય છે, ત્યારે જ્યાં વસ્તી વધી ગઈ હોય છે, ત્યાં આગળ વધતા સુધારાનું પ્રથમ ચિહન લો ઉપર અંકુશ મેલવાનું કે તેમની સંખ્યા ઓછી કરવાનું જ હોય છે. અત્યંત સુધારાવાળા સમાજમાં, વિષય-વાસનાના પ્રથમ વિકાસ સમયે જ પરણવાનો રિવાજ સામાન્ય રીતે હેત નથી; અને વધતા જતા જ્ઞાનમાં પણ એવાં લગ્નોની સંખ્યા વધારે અને વધારે ઓછી કરવાનું વલણ હોય છે. વળી લગ્ન સિવાય આ વિકારની અન્ય તૃપ્તિની વિરૂદ્ધ નીતિવેત્તાઓ ગમે તે બોધ આપે, પણ આ વિકારના બળને લીધે માણસો અનીતિમાં પડ્યાં વિના રહેતાં નથી એ પણ નિઃસંશય છે; અને દરેક પ્રજામાં, જમાનામાં અને ધર્મમાં આ ગેરવર્તણુંકની બહુ 2 નજરે પડે છે, અને તેથી કરીને જ મનુષ્યની દુર્દશા અને ભ્રષ્ટતા પણ બહું થએલી છે. આ પ્રશ્નને નિકાલ કરવામાં નીતિ શાસ્ત્રકારના લક્ષ્યમાં ખાસ કરીને વાત હોય છે; જે સંતાનને તે અસ્તિત્વમાં આવ્યું હોય તેના નિભાવને માટે કાંઈક કરવાની દરેક પુરુષની સ્વાભાવિક ફરજ, અને બ્રિટન અને કુદષ્ટિથી કુટુંબનું સંરક્ષણ-કુટુંબ અને રાજ્યનું મધ્યબિંદુ અને મુખ્ય