________________ સ્ત્રીઓની પદવી. 377 ભાવનાની દષ્ટિએ જોતાં બહુ સ્ત્રી કરવાના રિવાજ કરતાં એક સ્ત્રી કરવાને રિવાજ ઉત્તમ છે, કારણ કે તેથી કરીને મનુષ્યના સ્વભાવમાં રહેલું ભ્રષ્ટ તવ અંકુશમાં રહી મર્યાદિત થાય છે અને વળી તેથી કૌટુંબિક લાગણીઓ કેળવાઈ જીવન ઉચ્ચતર બનતું જાય છે. સમાજના શ્રેયની દૃષ્ટિએ જોતાં પણ તે રિવાજ ઉત્તમ છે, કારણ કે સ્ત્રી પુરૂષની સંખ્યા કુદરતમાં સરખી હોય છે, તેથી એક પુરૂષે એક સ્ત્રી પરણવી વાજબી છે. વળી તેથી કુટુંબની વ્યવસ્થા પણ સારી રહે છે, અને એ સ્થિતિમાં સ્ત્રીની પદવી પુરૂષની સમાન ગણવાનો સંભવ વધારે રહે છે. પરંતુ હેમર ઇત્યાદિ કવિઓના કાવ્યમાં પ્રતીત થતા અને પ્રશંસાને પામેલા કાવ્ય કાળ અથવા પુરાણ કાળ અને પાછળના ઐતિહાસિક કાળ વચ્ચે એકંદરે ફેર છે એ વાત પણ આપણે લક્ષમાં રાખવાની છે. પ્રાથમિક અને અણઘડ દશામાં સ્ત્રીઓનું સ્થાન બેશક ધણું ઉંચું હતું અને તેમના નમુનામાં ઘણું ઉંચા પ્રકારની સંપૂર્ણતા પ્રદર્શિત થતી હતી એ વાત ઘણું વિસ્મયકારક છે અને ઘણા લેખકે તેથી ગુંચવણમાં પણ પડી જાય છે. સુધારો વધતાં, નૈતિક વિચારે વિસ્તૃત બની ઉચ્ચ દશામાં રૂપાંતર પામ્યા છે; પરંતુ ગ્રીક કાવ્યોમાં સ્ત્રીઓની ઉત્તમતાના જે નમુનાઓ સમાએલા છે તે પ્રાથમિક હોવા છતાં જગતના સાહિત્યમાં અત્યંત સુંદર અને સંપૂર્ણ છે એમ કહેવામાં અડચણ નથી. હેકટર અને એંમેકીને દાંપત્ય સ્નેહ, દરિયાઈ તેફાનમાં સપડાવાથી લાંબા કાળ પર્યત ટકતા પિતાના સ્વામીની કંટાળ્યા વગર રાહ જેતી પેનલેપની વફાદારી અને તે સ્વામી પણ પેનીલપને પિતાની જીવન દેરી ગણતા હતા તે પિતાને સ્વામી જીવતે રહે એટલા માટે પિતાની અંદગીને પણ રાજી ખુશીથી ભેગ આપતી એસેસટિસનો અતુલ્ય પ્રેમ; પિલીક્ષિના મૃત્યુની ભવ્યતા; ઈત્યાદિ અનેક ચિત્રો દ્વારા સ્ત્રીઓના ચારિત્રમાં જે ભવ્ય સેંદર્ય ચિત્રિત થએલું જોવામાં આવે છે તે રેમ કે ખ્રિસ્તિ સમયમાં જે સ્ત્રી પૂજા કે અર્વાચીન સુધારાના સમયમાં પણ ભવ્ય ગણાય એવું છે. કુમારિકાઓની મર્યાદશીલતા અને પરણેલીની વફાદારી, સંપૂર્ણ સ્ત્રીત્વનાં સદાચાર અને લાવણ્ય તે સમયનાં જેવાં