________________ 376 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કન્યાવિક્રય થતો આવ્યો છે અને થાય છે એ અફસની વાત છે. યાહુદી ના ગ્રંથમાંથી પણ કન્યાવિક્રયના દાખલા મળી આવે છે. લીહ અને રશેલને પિતાની અમુક પ્રકારની સેવા ઉઠાવીને તે બન્ને સ્ત્રીઓને જેકબે ખરીદ કરી હતી, અને સ્ત્રીઓને ખરીદ કરવાની આ રસમ જે અમુક કાળે જ્યુડીઆમાં સામાન્ય રીતે પ્રચલિત હતી તે હોમરના જમાનામાં ગ્રીસ દેશમાં પણ સામાન્ય હતી. પરંતુ વખત જતાં આ ખરીદીને બદલે દાયજાને રિવાજ તેમનામાં દાખલ થયે, અર્થાત વાપરવા માટે પિતા પિતાની પુત્રીને પૈસાની રકમ સાથે આપવા લાગ્યો, અને આ રકમ જે કે પતિના હાથમાં જ જતી, પરંતુ તેથી કરીને કુટુંબમાં સ્ત્રીની પ્રતિષ્ઠા અને માન વધતાં, અને ધણીધણીઆણીને જે ન બને અને છૂટા પડે તે એ રકમ સ્ત્રીને મળે એવું રોમ અને ગ્રીસના કાયદામાં ખાસ ઠરાવ્યું હતું. આ પ્રમાણે પતિ પિતાની પત્ની સાથે ગેરવર્તણુક ન ચલાવે તેની જામીનગીરી આ દાયજાના રિવાજમાં રહેતી હતી. પ્રથમ સ્ત્રી પોતાના પતિની ગુલામ જ ગણાતી તે વાત હવે બંધ થઈ ગઈ અને કાંઈક અંશે લગ્ન, કરારમાં જ એ ભાગીદાર ગણાવા લાગી. અસલના જર્મન લેકમાં એક જૂદીજ જાતને અને ઘણે વિલક્ષ રિવાજ પ્રચલિત હતું. વધુ પિતાના પતિને દાયજામાં કાંઈ પણ લાવી આપતી નહિ, તેમ વર પણ કન્યાના બાપને કાંઈ આપત નહિ; પરંતુ પરણેતરને બીજે દિવસે સવારે તે પોતે જ પિતાની પત્નીને બક્ષીસ આપતો હતો, જે બક્ષીસ “પ્રાતઃકાળની બક્ષીસ” ના નામથી ઓળખાતી હતી. સ્ત્રીધન કિવા પલ્લાનું આ મૂળ હતું. પરંતુ સ્ત્રીઓની ઉન્નતિના ઈતિહાસમાં ઉપર કહી તે કરતાં પણ વધારે અગત્યની બાબત એક સ્ત્રી કરવાના રિવાજની છે. આ બાબતમાં એશિયાના સુધારા કરતાં ગ્રીસને સુધારો પ્રથમથી જ ચડી જાય છે, કારણ કે ગ્રીસના સુધારાએ એક સ્ત્રી કરવાના રિવાજને પ્રથમથી જ વખાણ્યો હતે. વિશુદ્ધિની વાત પરત્વે આ રિવાજની બાબતમાં બે દષ્ટિએ વિચાર આપણે કરી શકીએ છીએ; એક તે નીતિની આપણી સહજ ભાવનાની દૃષ્ટિથી અને બીજી, સમાજના શ્રેયની દૃષ્ટિથી. નીતિની સહજ