________________ 374 યૂરોપીય પ્રજાના આચરણનો ઈતિહાસ દુરાચાર ઉપજી આવ્યા હતા તે વિષે ઇસારા એકથી અધિક પ્રસંગે અમે કર્યા છે. પરંતુ આ પ્રશ્નોમાં જે ઐતિહાસિક અગત્યતા સમાએલી છે તે ઐતિહાસિક અગત્યતાની દૃષ્ટિથી આ પ્રશ્નોના વિવેચનમાં અદ્યાપિપયેત અમે ઉતર્યા નથી. તેથી કરીને આ ગ્રંથ સમાપ્ત કર્યા પૂર્વે એ પ્રશ્નોની તપાસમાં ડાંક પૃષ્ટો રોકવાને અમારો વિચાર થાય છે. જે જે અનેક પ્રશ્નો હજી સુધી આ ગ્રંથમાં છેડાયા છે તે સર્વના કરતાં આ પ્રકરણમાં છેડવાના પ્રશ્નોનું સ્પષ્ટ અને નિષ્પક્ષપાત ખ્યાન કરવું ઘણું મુશ્કેલી ભરેલું કામ છે, અને વળી આવા પ્રશ્નોનું બારીક ખ્યાન કરવામાં નિર્લજજતાનો આરોપ માથે આવે અને ઉપરાંત કોઈને માઠું લાગે તે વળી જૂદું, તેથી આ પ્રશ્નોમાં ઉંડા ઉતરવાની આનાકાની તો મનમાં ઘણી થાય છે. કોઈ ખાસ સંસ્થાઓ અને સંજોગેની પ્રબળતાએ કરીને, અને અમે આગળ સૂચવ્યું છે તે પ્રમાણે વિશેષે કરીને દેશદેશની આબોહવા અને જાતજાતની ખાસ ખાસીઅોને લઈને, પ્રજાઓના બ્રહ્મચર્યને પ્રશ્ન ઘણે ગુંચવાડા ભરેલે થઈ પડે છે એ સ્પષ્ટ છે; અને નીતિની આ શાખા પરત્વે બેલવામાં બારીક સુઘડતાનો કે પ્રશ્ન સમાએલે છે તે પણ કોઈને સમજાવવું પડે તેમ નથી. તથાપિ ઇતિહાસકારની પ્રથમ ફરજ સત્ય પ્રતિ છે; અને નીતિની જે શાખા અત્યંત રૂપાંતર પામેલી આપણે જોઈએ છીએ અને મનુષ્યના નૈતિક વર્તન ઉપર જેની અસર ઘણું કરીને અત્યંત થએલી છે તે શાખાને ખાસ લક્ષીને બોલ્યા સિવાય જૂદા જૂદા જમાનાની નૈતિક દશાનું ખરું ચિત્ર રજુ કરવું અને જૂદા જૂદા ધર્મોની નૈતિક અસરનો ખરેખરો ખ્યાલ બાંધવો એ વાત અશકય છે. કેવળ જંગલી દશાના સમયમાં જ્યારે જીંદગીની સામાન્ય અવસ્થા રખડતી દશાની હોય છે અને જ્યારે લડાઈ અને શિકાર છંદગીના મુખ્ય ધંધા હોય છે ત્યારે આવી પ્રવૃત્તિને અંગે જે જે ગુણે આવશ્યક હોય છે તે તે ગુણોની કિંમત સ્વભાવિક રીતે જ તે સમાજમાં વધારે અંકાય છે. અને આવા ગુણેમાં સ્ત્રીઓ બેશક ઉતરતી હોય છે, તેથી કરીને એવા સમયમાં સ્ત્રીઓની પદવી સ્વાભાવિક રીતે જ ઘણી ઉતરતી અને હલકી